દેશમાં ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યાએ રેકોર્ડ તોડો છે. છેલ્લા ૧૦ વર્ષમાં આઈટીઆર ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં બમણાથી વધુ વધારો થયો છે. ૧૦ વર્ષમાં આઈટીઆર ફાઈલ કરનારાઓની સંખ્યામાં વધારો થતા ચાલુ નાણાકીય વર્ષે આંકડો ૭.૭૮ કરોડને પાર થયો છે. આ અંગેની માહિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ દ્રારા આપવામાં આવી છે. સીબીડીટીએ ડેટા જાહેર કરતા કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૨–૨૩માં ૭.૭૮ લાખ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. જે ૨૦૧૩–૧૪માં ફાઈલ કરવામાં આવેલા ૩.૮ કરોડ ઈન્કમ ટેકસ રિટર્ન કરતાં ૧૦૪.૯૧% વધુ છે.
આ જ સમયગાળા દરમિયાન, ડાયરેકટ ટેકસ કલેકશન ૨૦૨૨–૨૩માં ૧૬૦.૫૨% વધીને . ૧૬,૬૩,૬૮૬ કરોડ થયો હતો, જે ૨૦૧૩–૧૪માં . ૬,૩૮,૫૯૬ કરોડ હતો. સરકારે ૨૦૨૩–૨૪ના બજેટમાં પ્રત્યક્ષ કર (વ્યકિતગત આવકવેરો અને કંપની ટેકસ)માંથી . ૧૮.૨૩ લાખ કરોડ એકત્ર કરવાનો લયાંક રાખ્યો છે. જે પાછલા નાણાકીય વર્ષમાં એકત્ર કરાયેલા ૧૬.૬૧ લાખ કરોડથી ૯.૭૫% વધુ છે.
સીબીડીટીના ડેટા અનુસાર, ગ્રોસ ડાયરેકટ ટેકસ કલેકશન નાણાકીય વર્ષ ૨૦૧૩–૧૪માં . ૭,૨૧,૬૦૪ કરોડથી ૨૦૨૨–૨૩માં ૧૭૩.૩૧% વધીને . ૧૯,૭૨,૨૪૮ કરોડ થયું છે. આ સાથે ડાયરેકટ ટેકસ–જીડીપી રેશિયો ૫.૬૨%થી વધીને ૬.૧૧% થયો છે. જો કે, સંગ્રહ ખર્ચ ૨૦૧૩–૧૪માં ૦.૫૧%થી વધીને ૨૦૨૨–૨૩માં ૦.૫૭% થયો હતો.
૩૧ ડિસેમ્બર સુધીમાં ૮.૧૮ કરોડ લોકોએ આવકવેરા રિટર્ન ફાઈલ કયુ હાલમાં જ નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા ૮ કરોડને વટાવી ગઈ છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી વર્ષ ૨૦૨૩–૨૪ માટે રેકોર્ડ બ્રેકીંગ ૮.૧૮ કરોડ લોકો દ્રારા આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે, જે પાછલા નાણાકીય વર્ષમાં દાખલ કરાયેલા ૭.૫૧ કરોડ આઈટીઆર કરતાં ૯% વધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech