જો જો હો... હવે ઉંદરડા પકડવા જાળી રાખશો તો પોલીસ તમને પકડી જશે

  • August 08, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં હવે ઉંદરડા પકડવા માટેની જાળ રાખવામાં આવશે તો પોલીસ જાળ રાખનારને પકડી જશે. પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ હેઠળ પોલીસ કમિશનર દ્રારા બહાર પડાયેલા જાહેરનામામાં ગ્લુ ટ્રેપ (જાળ) બનાવવા, વેચવા અને ઉપયોગ કરવા પર પ્રતિબધં ફરમાવવામાં આવ્યો છે. જો કોઈ જાળનો ઉપયોગ કરશે તો તેના ઉપર પોલીસ કાર્યવાહી કરશે.
ઉંદર પકડવાની આ જાળને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી તરીકે પણ ઓળખવામાં આવે છે જે બિન ઘાતક અને પ્રતિબંધીત છે. આ જાળ રાખવાથી ઉંદર તેના પર ચાલે એટલે જાળમાં ફસાઈ જાય છે અને નિકળી શકતો નથી. જેના કારણે ડીહાઇડ્રેશન, ભુખ અને ગુંગળાઈ જવાથી ઉંદરનું પીડાદાયક મોત થતું હોય છે. આ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ થયેલ અને હાઈકોર્ટ દ્રારા ઓરલ ઓર્ડરથી પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. જેને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં ઉંદર પકડવા માટેની જાળ વેચવા પર, બનાવવા પર અને ઉપયોગ કરવા પર પ્રતિબધં ફરમાવતો નિર્ણય પોલીસ કમિશનર દ્રારા લેવાયો છે.
આ બાબતે ગઈકાલે પોલીસ કમિશનર દ્રારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે જો હવે કોઈ ઉંદરની જાળ બનાવતા હશે વેચાણ કરતા હશે કે તેનો ઉપયોગ કરતા હશે તો આવા વ્યકિતઓ પર પોલીસ જાહેરનામા ભગં હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application