ગુજરાતમાં વડોદરા, ઉત્તર પ્રદેશના કાનપુર અને રામપુર બાદ હવે પંજાબના ભટિંડામાં મોટી રેલ દુર્ઘટના ટળી હતી. અહીં દિલ્હી–ભટિંડા રેલવે ટ્રેક પર લોખંડના જાડા સળિયા મળી આવ્યા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોઈએ કાવતરાના ભાગપે જાણીજોઈને રેલ્વે ટ્રેક પર સળિયા મૂકયા કે પછી આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ છે. આ મામલે રેલવે પોલીસે ગુનો નોંધ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે ૩ વાગ્યે ભટિંડા–દિલ્હી રેલવે ટ્રેક પરથી એક માલગાડી પસાર થઈ રહી હતી. પરંતુ પાટા વચ્ચે મુકવામાં આવેલા લોખંડના સળિયાને કારણે ટ્રેનને કોઈ સિલ મળ્યું ન હતું. તપાસ કરતાં ટ્રેક પરથી ૯ લોખંડના સળિયા મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં ટ્રેન થોડા કલાકો મોડી આગળ વધી શકી હતી. હાલ પોલીસે અજાણ્યા વ્યકિત સામે ગુનો નોંધી તપાસ શ કરી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રેલવે ટ્રેક પર કંઈક ને કંઈક શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક દિવસ પહેલા જ કાનપુરમાં ટ્રેનને પલટી મારવાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. મહારાજપુરના પ્રેમપુર રેલવે સ્ટેશન પાસે પાટા પર એલપીજી ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો. જો કે, લોકો પાયલટની બાતમીથી અકસ્માત ટળી ગયો, તેણે તરત જ ટ્રેન રોકી અને અધિકારીઓને તેની જાણ કરી.તાજેતરમાં સુરતમાં પણ ટ્રેનને પલટી મારવાનું ષડયત્રં બહાર આવ્યું હતું. ત્યારે સુરત નજીક રેલવે ટ્રેક સાથે છેડછાડ કરવામાં આવી હતી. કોઈ અજાણ્યા વ્યકિતએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને ટ્રેક પર રાખી દીધી હતી. પરંતુ ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ કીમેન સમયસર એલર્ટ થઈ ગયા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી ત્યારબાદ ટ્રેકની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે કોઈએ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતં ઘડું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech