હવે ઝોમેટો નોન–વેજ ન ખાતા લોકોને પૂરી પાડશે પ્યોર વેજ સેવા

  • March 20, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફડ પ્રોડકટસ સપ્લાય કરતું ઓનલાઈન પ્લેટફોર્મ ઝોમેટો ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. ગઈકાલે ચીફ એકિઝકયુટિવ ઓફિસર દીપેન્દ્ર ગોયલે જાહેરાત કરી હતી કે શાકાહારી ખોરાક પસદં કરતા ગ્રાહકોની જરિયાતોને પહોંચી વળવા માટે 'પ્યોર વેજ મોડ' સેવા શ કરવામાં આવી રહી છે. આ અંગે કંપનીને ભારે વિરોધનો સામનો કરવો પડો હતો.
ગોયલે નવી સેવા શ કરવા માટે શાકાહારી ગ્રાહકોના પ્રતિસાદને ટાંકયો. તેમણે માહિતી આપી હતી કે ઓનલાઈન પ્લેટફોર્મ ભારતમાં ૧૦૦ ટકા શાકાહારી આહારનું પાલન કરતા ગ્રાહકો માટે પ્યોર વેજ લીટ પણ લોન્ચ કરી રહ્યું છે. ઉપરાંત, ઝોમેટોના સંપૂર્ણ શાકાહારી બોકસમાં લીલા રંગના ડબ્બા હશે, રેગ્યુલર લાલ ડબ્બા નહીં. આ જાહેરાત બાદ ઝોમેટો ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેડ થઇ રહ્યું છે. ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. દીપિન્દર ગોયલે કહ્યું, ભારતમાં વિશ્વમાં શાકાહારી વસ્તીની સૌથી વધુ ટકાવારી છે. તેમની પાસેથી મળેલો સૌથી મહત્વપૂર્ણ પ્રતિસાદ એ છે કે તેઓ તેમના ખોરાકને કેવી રીતે બનાવે છે અને તેમનો ખોરાક કેવી રીતે પહોંચાડવામાં આવે છે તે અંગે તેઓ ખૂબ જ ગંભીર છે. ઘણી વખત નોન–વેજ ફડ ભૂલથી બોકસમાં જાય છે, જેની ગધં લોકોને પરેશાન કરે છે. જેને કારણે પ્યોર વેજ લીટ શ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application