રાજકોટ શહેરમાં નોંધાયેલ ગુજસીટોકના પ્રથમ ગુનામાં જામીન મેળવ્યા બાદ નાસી જનાર ભિસ્તીવાડ ગેંગના સભ્ય સરતાજ ઉર્ફે રાજન ખિયાણીને એલસીબી ઝોન-2 ટીમે રૂખડીયાપરામાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
એલસીબી ઝોન-2 ટીમના ઇન્ચાર્જ પીએસઆઇ જે.વી. ગોહિલ તથા તેમની ટીમ ગંભીર ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પ્રયત્નશીલ હતી. દરમિયાન રાજકોટ શહેરના પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયેલ ગુજસીટોકના ગુનામાં જામીન મેળવ્યા બાદ ફરાર થયેલા ભીસ્તીવાડ ગેંગના સભ્ય સરતાજ ઉર્ફે રાજન હમીદભાઈ ખીયાણીનું કોર્ટ દ્વારા સીઆરપીસીની કલમ 70 મુજબનું પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હોય અને લાંબા સમયથી ફરાર આરોપી રૂખડીયાપરામાં હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ઝોન-2 ની ટીમે સરતાજ ઉર્ફે રાજન હમીદભાઈ ખિયાણી (ઉ.વ.42 રહે ભીસ્તીવાડ, મોરબી હાઉસ ચોક, હલીમા મંઝિલ,રાજકોટ)ને દબોચી લીધો હતો.
ઝડપાયેલા આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી, આર્મ્સ એક્ટ, જુગારધારા સહિતના 12 ગુના નોંધાયેલા છે અને રાજકોટ શહેરમાં વર્ષ 2020માં નોંધાયેલ ગુજસીટોકના પ્રથમ ગુનામાં જામીન મેળવ્યા બાદ ફરાર થઇ ગયો હતો.
આ કામગીરીમાં એલસીબી ઝોન-2 ના ઇન્ચાર્જ પીએસઆઇ જે.વી.ગોહિલ, એએસઆઈ રાજેશભાઈ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગોહેલ, હેમેન્દ્રભાઈ વાઘિયા, શક્તિસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા સહિતના સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech