રામ મંદિરની લંબાઇ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે અને આ બધું કોઈપણ લોખંડ વિના થઈ રહ્યું છે. અયોધ્યામાં નિર્માણાધિન રામ મંદિરમાં એક ગ્રામ પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે, લોખંડનો ઉપયોગ ન કરવાને કારણે આ મંદિરની ઉંમર ઓછામાં ઓછી એક હજાર વર્ષ થશે.
રામ મંદિરને 1000 વર્ષની ઉંમરના હિસાબે ડિઝાઇન કરવામાં આવ્યું
રામ મંદિરને 1000 વર્ષની ઉંમરના હિસાબે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે તેને હજાર વર્ષ સુધી સમારકામની જરૂર પડશે નહીં. તેના બાંધકામમાં સિમેન્ટ, કોંક્રિટ અને લોખંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. લોખંડનો ઉપયોગ મુખ્યત્વે પાઈલ ફાઉન્ડેશનમાં થાય છે, પરંતુ રામ મંદિરમાં પણ આ પાઈલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરના પાયા તરીકે કૃત્રિમ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના પાયામાં આવી કોંક્રિટ નાખવામાં આવી છે જે ભવિષ્યમાં શિલા બની જશે.
રામ મંદિરમાં લોખંડનો ઉપયોગ કેમ નથી કર્યો?
રામ મંદિરમાં લોખંડનો ઉપયોગ ન કરવાનું મુખ્ય કારણ મંદિરની ઉંમર છે. જો આ મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તેનું આયુષ્ય ઘટી ગયું હોત અને લોખંડને કાટ લાગવાને કારણે વારંવાર સમારકામની જરૂર પડી હોત. જો મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો સંભવ છે કે તેને કાટ લાગી ગયો હોત અને તેના કારણે મંદિરનો પાયો નબળો પડી ગયો હોત અને આવી સ્થિતિમાં રામ મંદિર હજાર વર્ષ સુધી ટકવું શક્ય ન હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉના સમયમાં પણ મોટાભાગની ઈમારતો લોખંડ વગર બાંધવામાં આવતી હતી. આ જ કારણ છે કે, આજે પણ આપણે આપણી આસપાસ દાયકાઓ જૂની ઈમારતો જોઈ શકીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech