હુલ્લડો અને ડિમોલિશન વિશે બાળકોને શીખવવાની જરૂર નથી : એનસીઈઆરટી ચીફ

  • June 17, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એનસીઈઆરટીના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ જણાવ્યું હતું કે શાળાના પાઠ્યપુસ્તકોમાં રમખાણો વિશે શીખવવાથી નાગરિકો પર સકારાત્મક અસર થશે નહીં અને તે હિંસક અને હતાશા તરફ દોરી જશે. તેઓ ગુજરાત રમખાણો અને બાબરી મસ્જિદ ધ્વંસ પર આધારિત પ્રકરણો સંબંધિત ફેરફારોનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
સકલાનીએ જણાવ્યું હતું કે, શા માટે આપણે શાળાના પાઠ્યપુસ્તકોમાં રમખાણો વિશે શીખવવું જોઈએ? અમે સકારાત્મક નાગરિકો બનાવવા માંગીએ છીએ, હિંસક અને હતાશ વ્યક્તિઓ નહીં, સકલાનીની ટિપ્પણીઓ અપડેટેડ પાઠ્યપુસ્તકોના પ્રકાશન પછી આવે છે, જેમાં ઘણી ભૂલો અને ફેરફારો છે. સંશોધિત ધોરણ 12 રાજકીય વિજ્ઞાનની પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદને ત્રણ ગુંબજવાળી રચના તરીકે વર્ણવવામાં આવી છે અને અયોધ્યા વિભાગને ચાર પાનાથી ઘટાડીને બે કરવામાં આવ્યો છે. પાઠ્યપુસ્તકોમાં તાજેતરના સુધારાઓમાં ગુજરાતમાં સોમનાથથી અયોધ્યા સુધીની ભાજપ્ની ’રથયાત્રા’, ’કાર સેવકો’ની સંડોવણી અને બાબરી મસ્જિદના ધ્વંસ પછી સાંપ્રદાયિક અશાંતિ, ભાજપ શાસિત રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન અને અયોધ્યાની ઘટનાઓનો સમાવેશ થાય છે. આમાં ખેદ વ્યક્ત કરતા ભાજપ્ના નિવેદનના સંદર્ભો હટાવવાનો સમાવેશ થાય છે. અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના ભગવાકરણના આક્ષેપોના જવાબમાં સકલાનીએ કહ્યું, જો કોઈ વસ્તુ જૂની થઈ ગઈ હોય, તો તેને અપડેટ કરવી જોઈએ. તેને બદલવાનું કોઈ કારણ નથી. હું તેને ભગવાકરણ તરીકે જોતો નથી અમે વિદ્યાર્થીઓને ઇતિહાસ શીખવીએ છીએ. વાસ્તવિક જ્ઞાન સાથે, તેને યુદ્ધના મેદાનમાં ફેરવવા માટે નહીં. બાબરી મસ્જિદ વિધ્વંસમાં ’કાર સેવકો’ની ભૂમિકા અંગે પાઠયપુસ્તકોમાં કરાયેલા કાપ અંગે સકલાનીએ કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટે રામ મંદિર, બાબરી મસ્જિદ અથવા રામ જન્મભૂમિની તરફેણમાં ચુકાદો આપ્યો છે, તો શું તેનો પાઠ્યપુસ્તકો અમારામાં સમાવેશ ન કરવો જોઈએ? તેમ શું સમસ્યા છે? અમે આ ચેપટર્સમાં નવા અપડેટ ઉમેર્યા છે. જો આપણે નવી સંસદ બનાવી છે, તો શું આપણા વિદ્યાર્થીઓને તેની જાણ ન હોવી જોઈએ? પ્રાચીન વિકાસ અને તાજેતરના વિકાસનો સમાવેશ કરવો એ આપણી ફરજ છે.

અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના ભગવાકરણના આરોપો અંગે, 61 વર્ષીય સકલાનીએ કહ્યું, જો કોઈ વસ્તુની પ્રાસંગિકતા ખોવાઈ ગઈ હોય, તો તેને અપડેટ કરવી જોઈએ. તે કેમ ન થવું જોઈએ? મને ઈતિહાસ ભણાવવામાં કોઈ એજન્ડા દેખાતો નથી. અમારું લક્ષ્ય છે વિદ્યાર્થીઓને વાસ્તવિક માહિતી પૂરી પાડવી, તેને વિવાદાસ્પદ મુદ્દો બનાવવું નહિ. જો આપણે ભારતીય જ્ઞાન પ્રણાલી વિશે કહી રહ્યા છીએ, તો આ ભગવાકરણ કેવી રીતે થઈ શકે? જો આપણે મહેરૌલી ખાતેના લોખંડના સ્તંભ વિશે કહી રહ્યા છીએ અને ભણાવી રહ્યા છીએ કે ભારતીયો કોઈપણ ધાતુશાસ્ત્રના વૈજ્ઞાનિક કરતા ઘણા આગળ હતા, તો શું આપણે ખોટા છીએ? આ ભગવાકરણ કેવી રીતે થઈ શકે?


‘અમે સકારાત્મક નાગરિકો બનાવવા માગીએ છીએ’
પાઠ્યપુસ્તકોમાં 1984ના રમખાણોની ગેરહાજરી અંગે સમાન સ્તરનો આક્રોશ ન હોવાનું સૂચવતા, સકલાનીએ કહ્યું, શું અમે અમારા વિદ્યાર્થીઓને એવી રીતે શીખવવું જોઈએ કે તેઓ આક્રમક બને, સમાજમાં નફરત પેદા કરે અથવા શિક્ષણ તરીકે બાળકોને રમખાણો વિશે શીખવવું જોઈએ ? જ્યારે તેઓ મોટા થાય છે, ત્યારે તેઓ માહિતી મેળવી શકે છે, પરંતુ શાળાના પાઠ્યપુસ્તકોમાં શા માટે? શું થયું અને શા માટે થયું તે સમજવા માટે તેમને મોટા થવા દો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application