કેનેડા સરકાર ફરી એકવાર ભારતની સામે ખુલ્લી પડી છે. હરદીપ સિંહ નિરની હત્યા સાથે જોડાયેલા કેસને લઈને કેનેડાને શરમનો સામનો કરવો પડો છે. કેનેડા સરકારે સ્વીકાયુ છે કે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પર લાગેલા આરોપો સંબંધિત કોઈ પુરાવા નથી. ઉપરાંત, ટ્રુડો સરકારે કહ્યું કે તેની પાસે આ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.
કેનેડા સરકારનું નિવેદન ત્યારે આવ્યું છે યારે ગ્લોબ એન્ડ મેલ અખબારે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે. હરદીપ સિંહ નિર ખાલિસ્તાની સમર્થક હતો અને તેના પર ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ હતો. આ મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીય એજન્સીઓ પર નિરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદનથી ભારત–કેનેડા સંબંધોમાં તણાવ વધી ગયો છે.
કેનેડા દ્રારા કરવામાં આવેલા નિરની હત્યાના આરોપોને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ભારતે કહ્યું હતું કે કેનેડા તેના દેશમાં ખાલિસ્તાની ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. ગ્લોબ એન્ડ મેલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેડા પાસે ભારતીય અધિકારીઓને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડવાના પુરાવા છે. અખબારે કોઈપણ પુરાવા વિના ભારતીય પીએમ સહિત ઘણા મોટા લોકો પર આરોપો લગાવ્યા. હવે આ અહેવાલ બાદ કેનેડાની સરકારે સ્પષ્ટ્રતા કરી છે કે તેમની પાસે એવા કોઈ પુરાવા નથી કે જે આ કેસમાં ભારતીય અધિકારીઓને સીધો દોષિત ઠેરવે. કેનેડા સરકારના ભારત વિદ્ધ નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. પરિણામે, ભારતે કેનેડા સાથેની વેપાર વાટાઘાટો સ્થગિત કરી અને રાજદ્રારી પ્રવૃત્તિઓમાં ઘટાડો કર્યેા. તેનાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર કરારો પર પણ અસર પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech