કોડીનારના વેલણ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુધ્ધ અશ્ર્વિાસ પ્રસ્તાવ મંજૂર

  • February 06, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના વેલણ,કોટડા, માઢવાડ જૂથ ગ્રામપંચાયતના મહીલા સરપંચ સામે ઉપસરપંચ સહિત ૧૩ સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત મંજૂર કરતા કોડીનાર તાલુકાના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે.વેલણ જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિતના ૧૧ સભ્યોએ વેલણ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી સમક્ષ ગત ૫ જાન્યુઆરીના રોજ મહીલા સરપંચ મનીષાબેન લખમભાઈ આગિયા વિરુદ્ધ સરપંચ ની કાર્ય પધ્ધતિ બરોબર ના હોવાના કારણો દર્શાવી અવિશ્વાસ પ્રસ્તાવ ની દરખાસ્ત રજૂ કરતું પત્ર પાઠવ્યું હતું જેને લઇ ને તાલુકા વિકાસ અધિકારી એ એજન્ડા બહાર પાડવા જણાવ્યું હતું જેના ૧૫ દિવસ બાદ પણ સરપંચ મનીષાબેન દ્વારા એજન્ડા બહાર નહિ પડતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ૨૩ જાન્યુઆરી ના રોજ ૩૧ જાન્યુઆરી ના રોજ એજન્ડા બહાર પાડી ખાસ સભા બોલવા હુકમ કર્યો હતો જેને લઈ વિસ્તરણ અધિકારી વી.જે.ચોહાણ ની હાજરી માં ઉપસરપંચ દક્ષાબેન હરેશભાઈ ચાવડા ની અધ્યક્ષતામાં ખાસસભા મળી હતી જેમાં વધું ૨ સભ્યો એ પણ સરપંચ મનીષાબેન આગિયા ની કાર્ય પધ્ધતિ સામે વિરોધ નોંધાવી કુલ ૧૩ સભ્યોએ અવિશ્વાસ ની દરખાસ્ત મંજૂર કરવાના સમર્થન માં પોતનો મત રજૂ કરતાં ૨/૩ (બે તૃતીયાંશ) સભ્યો એ સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ ઠરાવ મંજૂર કર્યો હતો જેને લઈ તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૬(૨) અન્વયે પ્રસ્તાવ પસાર કાર્ય ના ત્રણ દિવસ બાદ ખાલી પડેલી સરપંચ ની જગ્યા એ ઉપસરપંચ ને સરપંચ તરીકે ની સત્તા ભોગવવા નો હુકમ કરતાં વેલણ કોટડા માઢવાડ જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે નો ચાર્જ ઉપ સરપંચ દક્ષાબેન હરેશભાઈ ચાવડા સોંપતા સ્થાનિક રાજકારણ માં ગરમાવો આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application