અમરેલીના ચકચારી લેટર કાંડ મુદ્દે એસએમસીના વડા તપાસ માટે અમરેલી પહોંચતા ગઈકાલ સવારથી જ નિર્લિપ રાયના માર્ગદર્શનમાં તપાસ શ કરવામાં આવી છે. લેટર કાંડની તપાસ ઐંડાણ ભરી અને કડીબદ્ધ રીતે કરવામાં આવશે. એસએમસીના ચુનંદા અધિકારીઓમાં એક ડીવાયએસપી બે પીઆઇ અને ચાર જેટલા પીએસઆઇ તથા ૧૨ રાઇટરો દ્રારા વિવિધ કામગીરી શ કરવામાં આવી છે. લેટર કાંડ પીડિત યુવતી પાયલ ગોટી, કિશોર કાનપરિયા અને અમરેલીના પોલીસમેનો સહિતનાની પૂછપરછ કરી નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. આજે પણ તપાસ શ રહેશે.
અમરેલી શહેરની જનતાને આશા છે કે લેટરકાંડ બાબતે સંપૂર્ણ તપાસ થશે અને ખરેખર દોષિત વ્યકિતઓને સજા કરવામાં આવશે, કારણ કે એસએમસીના વડા નિર્લિ રાય અગાઉ પણ અમરેલીના એસપી તરીકે સારી એવી કામગીરી કરી ચૂકી લોકોના દિલમાં એક આદર્શ અધિકારી તરીકેની છાપ ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech