બોબી દેઓલની 'આશ્રમ 4'ઓટીટી પર રીલીઝ
આશ્રમની પહેલી સીઝન વર્ષ 2020માં રિલીઝ કરવામાં આવી હતી. ફેન્સ ઘણા સમયથી ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં વેબ સીરિઝ આશ્રમની ચોથી સીરિઝ રિલીઝ થશે. આશ્રમની પહેલી સીઝન વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.ફેન્સ ઘણા સમયથી ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા છે.ટૂંક સમયમાં વેબ સીરિઝ આશ્રમની ચોથી સીરિઝ રિલીઝ થશે.
બોબી દેઓલની સુપરહિટ વેબ સીરિઝ આશ્રમની પહેલી સીઝન વર્ષ 2020માં રિલીઝ કરવામાં આવી હતી. પ્રકાશ ઝાના ડાયરેક્શનમાં બનેલ વેબ સીરિઝ ‘આશ્રમ’ની અત્યાર સુધીમાં ત્રણ સીઝન રિલીઝ થઈ છે. ફેન્સ ઘણા સમયથી ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં વેબ સીરિઝ આશ્રમની ચોથી સીરિઝ રિલીઝ થશે.
આશ્રમ 4 એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે. આ સીરિઝ જોવા માટે દર્શકોએ 10 મહિના સુધી રાહ જોવી પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2024માં આશ્રમ 4 સ્ટ્રીમ થશે. મેકર્સે સીરિઝ રિલીઝ થવાની સત્તાવાર જાહેરાત કરી નથી.
આશ્રમ 4ના ટીઝરમાં જોવા મળ્યું હતું કે, પહલવાન પમ્મી આશ્રમમાં વાપસી કરી રહી છે. આ સીઝનમાં પમ્મી દુલ્હન બનશે. આ સીઝનમાં બાબા નિરાલાનો પર્દાફાશ થઈ શકે છે અને તેમની ધરપકડ થઈ શકે છે. ટીઝરની શરૂઆતમાં બાબા નિરાલા કહે છે કે, ‘અમે ભગવાન છીએ, મેં તમારા કાનની ઉપર સ્વર્ગ બનાવ્યું. ભગવાનની ધરપકડ કેવી રીતે થઈ શકે છે? ટીઝરમાં ત્રિધા ચૌધરીની પણ ઝલક જોવા મળી હતી.’
પ્રખ્યાત વેબ સીરિઝ 'આશ્રમ'માં બોબી દેઓલે બાબા નિરાલાનું પાત્ર એવી રીતે ભજવ્યું છે કે લોકો તેની એક્ટિંગના ભરપૂર વખાણ કરી રહ્યા છે. અન્ય બે સિઝનની જેમ આશ્રમની ત્રીજી સીઝન પણ સુપરહિટ રહી હતી. આશ્રમ 4 ની ઝલક 'આશ્રમ 3' વેબ સીરિઝમાં બતાવવામાં આવી છે.
સ્ટાર બોબી દેઓલે પોતાના કેરેક્ટરને લઈને પહેલા જણાવ્યું હતું કે, "હું હકીકતે ખૂબ જ ખુશ છું કે દર્શકોએ મને આટલો પ્રેમ આપ્યો છે. હું આ ભૂમિકા નિભાવવામાં ખૂબ જ નર્વસ હતો. કારણ કે આ પહેલા મેં ક્યારેય એક પણ નેગેટિવ રોલ નહોતો કર્યો. મારી આ ઈમેજ હંમેશા ખૂબ પોઝિટીવ રહી છે. તો હું થોડો નર્વસ પણ હતો કારણ કે તેનાથી ઈમેજ બદલાઈ જાય છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech