કોળી સમાજનો નવમો સમુહ લગ્ન સમારોહ

  • March 28, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા. ૩૧ માર્ચના રોજ જામનગરના નાગેશ્વર કોલોની ખાતે કોળી સમાજનો નવમો સમુહ લગ્ન સમારોહ યોજાશે: શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર વાળા) - જામનગર દ્વારા આયોજીત નવમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ



દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર વાળા) - જામનગર દ્વારા આઠ - આઠ સમુહ લગ્નોનુ ભવ્ય સફળ આયોજન બાદ નવમાં સમુહ લગ્નનુ ભવ્યાતિભવ્ય સુંદર આયોજન. આ સમુહ લગ્ન સમારોહ આગામી તા. ૩૧/૩/૨૦૨૪ ને રવિવાર ના રોજ જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલા ગુરૂ આશ્રમ બાપા સીતારામ મંદિર પાસે ની જગ્યામાં યોજાશે. આ સમુહ લગ્ન સમારોહમાં ૧૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ તકે સંતો - મહંતો અને સામાજિક - રાજકીય આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ અને તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આ સમુહ લગ્ન સમારોહમાં દાતાશ્રીઓ દ્વારા ખુલ્લા મન થી ખુબ સારૂ યોગદાન કરવામાં આવ્યું છે. વધુમાં આ સમુહ લગ્ન સમારોહમાં જ્ઞાતિ સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની ઊપસ્થિત રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application