ઉનાના એલમપૂર ગામમાં ધુળેટીના તહેવાર નિમિત્તે ડી.જે.ના તાલે કલરથી રમતા હોય તે દરમ્યાન નવ શખ્સોએ ઇરાદા પૂર્વક ગેરકાયદેસર મંડળી રચી છરી, લોખંડના જેવા હથીયાર ધારણ કરી મહીલા સહીત ચાર જેટલાં યુવાનો પર જીવલેણ હુમલો કરી શરીરના અલગ અલગ ભાગોમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મારામારીમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઉના સરકાર હોસ્પીટલ ખાતે ખસેડવામા આવેલ હતા. આ અંગે પોલીસમા નવ શખ્સો વિરુધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
આ અંગે પોલીમાં ફરીયાદ મુજબ એલમપુર ગામમાં રહેતા અક્ષય નાનુ મકવાણા, કરશન મેણશી મકવાણા, મેણશી પીઠા મકવાણા, કલ્પેશ ખોડુ મકવાણા, મનસુખ નાનુ મકવાણા, અશ્વિન નાનુ મકવાણા, જયેશ રમેશ મકવાણા, જયેશ મેણશી મકવાણા તેમજ દિપક કાના મકવાણા આ તમામ શખ્સોએ ગામમાં ધુળેટીના દિવસે બાપા સીતારામના ઓટા પાસે ડી.જે.ના તાલે કલરથી રમતા હોય ત્યારે અમર બાબુ બાંભણીયાને મારી નાખવો છે તેમ કહી ઇરાદા પૂર્વક આ તમામ શખ્સોએ ગેર કાયદેસર મંડળી છરી, લોખંડના પાઇપો, હાથમા પહેરવાનું કડુ જેવા જીવલેણ હથીયાર ધારણ કરી વિપુલ સાંખટ, બાલું જાદવ સાંખટ, કપિલ મંગા શિયાળ, મનીષાબેન સાંખટ, ભાવેશ નાનું સાંખટ તેમજ રમેશ નાનું સાંખટ સહીત પર જીવલેણ હુમલો કરી દિધો હતો.
આ હુમલામાં તમામ અલગ અલગ યુવાનોને માથામાં, પેટના ભાગે, હાથ, છાતી, સહીતના શરીરના ભાગોમાં આડેધડ માર મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શખ્સો એ પથ્થરના છુટા ઘા મારી નાશી ગયેલ હતા. આ મારામારીની ઘટનામાં લોહી લુહાણ હાલતમાં કરી દેતા ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉના સરકાર હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામા આવેલ હતા. આ અંગે કપિલ મંગા શિયાળએ ઉના પોલીસમાં નવ શખ્સો વિરુધ ફરીયાદ નોંધાવતા પોલીસે ૩૦૭, ૩૨૩, ૩૨૫ સહીત અલગ અલગ ગુન્હા હેઠળ ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech