પંજાબમાં વહેતી નદીમાં વાહન તણાયું, નવ લોકોના મોત

  • August 11, 2024 08:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબમાં ડ્રાઈવર સહિત એક જ પરિવારના 8 લોકો નદીમાં તણાઈ ગયા હતા. દરેકના મોતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પરિવારજનોનો દાવો છે કે કારમાં કુલ 12 લોકો મુસાફરી કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે પાણીના પ્રવાહના કારણે સ્થાનિક લોકોએ ડ્રાઇવરને નદી પાર કરવા અંગે ચેતવણી પણ આપી હતી.


પંજાબના જૈજોથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક જ પરિવારના 8 લોકો અને એક ડૉક્ટર તેમની કાર સાથે નદીમાં તણાઈ ગયા હતા. જેમાં તમામ લોકોના મોત થયા હતા. આ ઘટના પંજાબના હોશિયારપુરથી લગભગ 34 કિમી દૂર આવેલા જૈજમાં બની હતી. જ્યાં એક પરિવારના આઠ સભ્યો સહિત નવ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય બે લોકો રવિવારે પાણીથી ભરેલી નદીમાં તેમનું વાહન તણાઈ જતાં ગુમ થયા હતા.



પંજાબમાં આ દિવસોમાં ભારે વરસાદને કારણે નદીમાં ઉછાળો આવ્યો છે. આ અંગે માહિતી આપતાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પરિવારના 11 સભ્યો એક સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) ડ્રાઈવર સાથે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના મેહતપુર પાસેના દેહરાથી પંજાબના SBS નગર જિલ્લાના મેહરોવાલ ગામમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application