રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ, બસપા સહિત નવ ઉમેદવાર: એક અપક્ષે ફોર્મ પાછું ખેંચ્યું

  • April 22, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં આજે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે પાલાના ઉમેદવારી પત્ર સામે વાંધા લેનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ફોર્મ પાછું ખેંચ્યું છે અને હવે ભાજપના પુષોત્તમ પાલા તથા કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી વચ્ચે ચૂંટણી જગં નિશ્ચિત બન્યો છે. બહત્પજન સમાજ પાર્ટીના સવસાણી ચમનભાઈ નાગજીભાઈ પણ ચૂંટણીના મેદાનમાં છે. આ ઉપરાંત છ અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.

પાર્ટીની દ્રષ્ટ્રિએ ત્રિપાખીયો જગં છે પરંતુ આમ છતાં ખરાખરીના ખેલ ભાજપના પરસોતમ પાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે ખેલાશે. ઇવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી થાય તે માટે ક્ષત્રિય સમાજના ૪૦૦ જેટલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે તેવી જાહેરાત ભૂતકાળમાં કરવામાં આવી હતી અને પ્રથમ દિવસે જ ૧૮૦ ફોર્મ નો ઉપાડ થવાથી આ વાત શકય બને તેવું પણ જણાતું હતું. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ક્ષત્રિય સમાજમાંથી કોઈએ ફોર્મ ભયુ નથી. કુલ ૧૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. શનિવારે ચકાસણી દરમિયાન છ ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ૧૦ ઉમેદવાર મેદાનમાં હતા તેમાંથી આજે એક અપક્ષે ફોર્મ પાછું ખેંચ્યું છે અને તેના કારણે હવે નવ ઉમેદવાર મેદાનમાં રહે છે.
જે નવ ઉમેદવાર મેદાનમાં છે તેમાં ભાજપના પુષોત્તમ પાલા કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી બહત્પજન સમાજ પાર્ટીના ચમનભાઈ નાગજીભાઈ સવસાણી, અપક્ષ ઉમેદવારો પ્રકાશભાઈ સિંધવ ભાવેશભાઈ આચાર્ય નયનકુમાર ઝાલા નીરલ અજાગીયા, જીેશભાઈ લુહાર અને ભાવેશભાઈ પીપળીયા મેદાનમાં છે. શનિવારે જે ચાર અપક્ષના ફોર્મ રદ થયા હતા તેમાં રામજીભાઈ વેગડા ડાભાઈ મેરાણ સુભાષભાઈ પંડા અને સોની મહાજન નરેન્દ્રભાઈનો સમાવેશ થાય છે.


ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ મંજુર તથા તેના ડમી ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ મંજુર થતા તેના ડમી ઉમેદવાર હેમાંગભાઈ વસાવડાના ફોર્મ શનિવારે રદ થયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application