પોરબંદર પંથકમાં ઉનાળાના આરંભે ખોરાક અને પાણીની શોધમાં ભટકી રહી છે નીલગાય

  • March 18, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળો  હજુ તો શ‚ જ થયો છે ત્યાં તેનો આકરો મિજાજ બતાવી રહ્યો છે અને તેના કારણે જળસ્ત્રોત સુકાઇ રહ્યા છે અને વનસ્પતિઓ પણ સુકાઇ રહી છે તેના કારણે પ્રાણીઓને ખોરાક અને પાણી માટે ખૂબ મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે. પ્રસ્તુત તસ્વીર પોરબંદરના કોલીખડા અને ધરમપુર વચ્ચેના વિસ્તારની છે કે જ્યાં નીલગાયના ટોળા ખોરાક અને પાણીની શોધમાં ઠેર-ઠેર ભટકી રહ્યા છે. હજુ ઉનાળાના ત્રણ મહિના  બાકી છે તેથી અત્યારથી જ પશુઓની આ દયનીય સ્થિતિ હોય તો આગામી દિવસો કેવા હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે તેથી પોરબંદરના વાડી વિસ્તારમાં રહેતા લોકોથી માંડીને વનવિભાગ દ્વારા પણ આવા પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જ‚રી બની છેે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application