નવનિયુક્ત ભાવનગર જિલ્લા કલેક્ટર મનિષકુમારએ ચાર્જ સંભાળ્યો

  • April 15, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકે રાજ્ય સરકાર દ્વારા ગત સપ્તાહમાં નિયુક્ત થયેલા મનીષકુમારે આજે તા.૧૫ એપ્રિલને મંગળવારે જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.આથી હવે જિલ્લાના વિકાસ કામોને વેગ મળશે તેમજ રૂટિન કાર્યોની મંજૂરી ત્વરિત મળશે.
  અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત તા.૩૧ માર્ચના રોજ ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે.મહેતા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા સરકારે તેમનો ચાર્જ રીઝનલ કમિશ્નર ઓફ મ્યુનસિપાલિટીસ ડી.એમ.સોલંકીને સોંપ્યો હતો.
  તાજેતરમાં ૧૬ આઈએએસ અધિકારીની ગત બુધવારે બદલી સાથે ખાલી પડેલી આઈએએસ કેડરની જગ્યામાં નિમણૂક આપવામાં આવી હતી. જેમાં ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકે ગુજરાત હાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર મનીષકુમારને મુકવામાં આવ્યા હતા. 
બદલીના ઓર્ડર બાદ ત્રણ દિવસની જાહેર રજા આવી હોવાના કારણે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર મનીષકુમારે હવે આજે તા. ૧૫-૪ને મંગળવારે ચાર્જ સંભાળ્યો છે.ભાવનગરમાં બે સપ્તાહ બાદ રેગ્યુલર કલેક્ટરે ચાર્જ સંભાળતા હવે જિલ્લાના વિકાસ કામોને વેગ મળશે અને જરૂરી કાર્યોને મંજુરી મળતા કાર્યવાહી આગળ વધશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application