મણિપુરમાં હિંસા ફરી વ્કેરી છે અને બે જૂથ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સામસામાં ગોળીબારમાં ૨ના મોત થયા છે જયારે બીજેપી નેતા સહિત ૫ ઘાયલ થયા છે. હિંસાનો નવો રાઉન્ડ શ થતા પોલીસ સાબદી બની છે.
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં બે જૂથોમે ૨૦૨૩માં હિંસા શ થઈ હતી, ત્યારથી ફાયરિંગની ઘટનાઓ સતત ઘટી રહી છે. આ ઘટના નજીકના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લમશાંગ વિસ્તારના કડાંગબદં ગામ પાસેના કેમ્પમાં બની હતી. મે ૨૦૨૩થી પૂર્વેાત્તર રાયમાં પ્રવર્તી રહેલી વંશીય સંઘર્ષની લોહિયાળ રમત બધં થવાના કોઈ સંકેત દેખાતા નથી. હિંસાની ઘટનાઓ સતત બની રહી છે.
અજાણ્યા બંદૂકધારીઓના હત્પમલા બાદ, ગામના લોકોએ વળતો જવાબ આપ્યો, જેના કારણે ગોળીબાર થયો જેમાં એક સ્વયંસેવકે જીવ ગુમાવ્યો અને અન્ય ઘાયલ થયો, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પ્રારંભિક વાટાઘાટો પછી, હત્પમલાખોરો ફરી એકઠા થયા અને બીજો હત્પમલો કર્યેા. ગોળીબાર ચાલુ છે.
તાજેતરની હિંસા કયાં થઈ?
સૂત્રોએ જણાવ્યું હતું કે ઇમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લાની સરહદ પર બે સમુદાયના ગ્રામીણો વચ્ચે ગોળીબાર થયો હતો. તાજેતરની હિંસા બાદ ઈમ્ફાલ ખીણના કડાંગબંદ, કૌત્રુક અને કાંગચુપ ગામોમાંથી લોકો પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા હોવાના અહેવાલો પણ છે. મંગળવારની ઘટના ઇમ્ફાલ અને કાંગપોકપી જિલ્લા વચ્ચેના વિસ્તારમાં બે સશક્ર જૂથો વચ્ચેના ગોળીબારમાં એક ગ્રામીણ માર્યા ગયાના બે દિવસ પછી આવી છે.
ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષને ગોળી વાગી
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગોળીબાર ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં થયો હતો અને મૃત્યુઆકં વધવાની સંભાવના છે. ઓછામાં ઓછા એક વ્યકિત ગુમ થવાના પણ અહેવાલ છે. આ હિંસામાં ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મનોહરમયુમ બરીશ શર્મા ગોળીબારમાં ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
૬૦,૦૦૦ કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ગયા વર્ષે ૩ મેના રોજ શ થયેલી હિંસામાં ૧૮૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૩૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે. રાયમાં ઓછામાં ઓછા ૬૦,૦૦૦ કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાત હોવા છતાં આઠ મહિનાથી વધુ સમયથી હિંસા ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech