કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પરિવાર દ્વારા આવતીકાલે જગત મંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ

  • July 06, 2024 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના વન પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટમંત્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા પરિવાર દ્વારા આવતીકાલે રવિવાર તારીખ 07-07-2024 ને અષાઢી બીજના રોજ દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રસંગે આવતીકાલે રવિવારે બપોરે ત્રણ વાગ્યે ધ્વજા પૂજન બાદ સાંજે 4:30 વાગ્યે દ્વારકામાં આહીર સમાજની વાડી (જુના ચરકલા રોડ) ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. સાંજે 5 વાગ્યે જગત મંદિરના શિખર પર નુતન ધ્વજારોહણ તથા સાંજે 7 વાગ્યે મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સહભાગી થવા નિમંત્રિતોને હરદાસભાઈ હેભાભાઈ બેરા તથા મુળુભાઈ બેરા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application