નેપાળની ગુસ્તાખી, ભારતના ત્રણ વિસ્તારો સાથેનો નવો નકશો ચલણી નોટ પર છાપશે

  • May 04, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેપાળ પણ ધીમે ધીમે ચીનના રસ્તે આગળ વધી રહ્યું છે અને ભારતના અમુક પ્રદેશો પર અનધીકૃત રીતે પોતાનો કબજો ગણાવી ને બાદમાં દુનિયા પાસેથી સ્વીકૃતિ લઈ લેવાની ચલ ચાલી રહ્યું છે.નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 100 રૂપિયાની નવી નોટ પર દેશનો નકશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભારતના લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને નેપાળના ભાગ તરીકે બતાવવામાં આવશે. 2020માં નેપાળે એકપક્ષીય રીતે આ ભાગોને પોતાના તરીકે જાહેર કયર્િ હતા.જો કે આ અંગે નવી દિલ્હી ખાતે થી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

નેપાળે 100 રૂપિયાની નવી નોટ છાપવાની જાહેરાત કરી હતી જેમાં ભારતના લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની દર્શાવતા નકશો હશે. ઉલેખનીય છે કે આ વિસ્તારો ભારતના કબજામાં આવે છે.કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતાં નેપાળ સરકારના પ્રવક્તા અને માહિતી અને સંચાર મંત્રી રેખા શર્મા જણાવ્યું હતું કે, 100 રૂપિયાની નોટમાં નેપાળનો નવો નકશો છાપવાનો નિર્ણય તેમની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની દશર્વિવામાં આવશે.શર્મા વધુમાં જણાવ્યું હતું કે, 25 એપ્રિલ અને 2 મેના રોજ યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન કેબિનેટે રૂ. 100ની બેંક નોટને ફરીથી ડિઝાઇન કરવા અને બેંક નોટની પૃષ્ઠભૂમિમાં છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી હતી. નેપાળના આ નિર્ણય પર નવી દિલ્હીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પહેલા નેપાળે એકતરફી રીતે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાનો વિસ્તાર જાહેર કર્યો હતો.


નેપાળે 2020માં નકશો અપડેટ કર્યો
18 જૂન, 2020 ના રોજ, નેપાળે ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પ્રદેશો લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને સમાવવા માટે તેના બંધારણમાં સુધારો કરીને દેશના રાજકીય નકશાને અપડેટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી. ભારતે આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. ભારતે તેને એકપક્ષીય કૃત્ય વર્ણવ્યું હતું, અને કહ્યું હતું કે નેપાળ દ્વારા પ્રાદેશિક દાવાઓનું ’કૃત્રિમ વિસ્તરણ’ બિનટકાઉ છે.લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા પર ભારતનો કબજો છે અને ઐતિહાસિક રીતે આ ત્રણેય વિસ્તારો ભારત પાસે છે. ભારત નેપાળ સાથે 1850 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત પાંચ રાજ્યો નેપાળની સરહદ પર સ્થિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application