નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની 5 ફુટ ઉપરથી વહેતા અંદાજિત 2200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સહિસલામત સુરક્ષિત સ્થાન ઉપર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફુટ છે જે હાલ 28 ફુટની સપાટી સાથે 5 ફુટ ઉપરથી વહી રહી છે. જેના પરિણામે નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત 2200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલ છે.
નવસારી શહેરના 40 ટકા જેટલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પૂરની સ્થિતિને પગલે એસડીઆરએફની એક ટીમ નવસારીમાં તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ ખાતેથી NDRFની ટીમને પણ નવસારીમાં ખસેડવામાં આવી છે.
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હિદાયતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech