જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં તા.૯ થી ૧૭ એપ્રિલ સુધી ચૈત્ર માસની નવરાત્રીનું અનુષ્ઠાન

  • April 06, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સ્થિત ગાયત્રી શક્તિપીઠમાં  આ વર્ષે પણ ચૈત્ર માસની નવરાત્રિનું અનુષ્ઠાન કરવામાં આવશે. તા. ૯-૪ -૨૪ થી તા. ૧૭-૪ -૨૪  સુધી અનુષ્ઠાન કરવામાં આવશે. આથી અનુષ્ઠાની ભાઈઓ-બહેનોએ શક્તિપીઠના ધ્યાનખંડમાં તા. ૮ ના સાંજે પ થી ૬ વાગ્યા દરમ્યાન સંકલ્પ વિધિ માટે હાજર રહેવા અને ત્યારપછી નવ દિવસીય અનુષ્ઠાન માટે શ્રી ગાયત્રી શક્તિપીઠમાં અથવા પોતાના ઘરે ગાયત્રી મંત્રના જાપ-માળા વહેલી સવારના ૪ વાગ્યાથી આખા દિવસ દરમિયાન અનુકૂળતા મુજબ કરવી.


અનુષ્ઠાન પુર્ણાહુતિનો નવકુંડી સામૂહિક હવન તા. ૧૭-૪ - ૨૪ ના સવારે ૮-૩૦ થી ૧૧ શ્રી ગાયત્રી શક્તિપીઠનું ત્રિપદા ભવન, માસ્તર સોસાયટી, શિવમ પેટ્રોલ પંપની પાછળ, શરૂ સેકશન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. બપોરે ૧ર વાગ્યે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આથી જનતાને દર્શનનો લાભ લેવા ગાયત્રી શક્તિપીઠ દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application