આગામી સપ્તાહમાં ૩ ઓક્ટોબરને ગુરૂવારે આસો સુદ એકમથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગરબે ઘૂમવા માટે ગોરીઓ સજ્જ થઈ રહી છે અને વિવિધ વસ્તુઓની ખરીદી કરી રહી છે તેમાં ખાસ કરીને ચણીયા ચોળીની ખરીદી કરી રહી છે શહેરના વિક્ટોરિયા પાર્ક નજીક અનેક લોકો ફૂટપાથ પર વિવિધ ડિઝાઇન અને વેરાયટીવાળી ચણીયા ચોળીઓનું વેચાણ કરી રહ્યા છે જે રૂપિયા ૫૦૦ થી રૂપિયા ૫૦૦૦ના ભાવે વેચાઈ રહી છે અને હાલમાં તેનું સારું વેચાણ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં હજી વેચાણ વધવાની આશા ચણીયાચોળીના વિક્રેતાઓ રાખી રહ્યા છે.
નવરાત્રી એટલે માતાજીની આરાધના અને ગરબે ઘૂમવાનું પર્વ છે. નવરાત્રિના નવ દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટસ, શેરીઓ તેમજ નવરાત્રિના પ્રોફેશનલ આયોજનમાં ગરબે ઘૂમવા માટે ગોરીઓ સજ્જ થઈ રહી છે. આના માટે યુવતીઓ વિવિધ વસ્તુઓની ખરીદી કરી રહી છે જેમાં ખાસ કરીને વિવિધ પ્રકારની ડિઝાઇનો વાળી અને મનમોહક રંગો વાળી ચણીયા ચોળીઓ નો ખાસ સમાવેશ થાય છે. ચણીયાચોળીનું વેચાણ ભાવનગરમાં કાપડના વેપારીઓને ત્યાં થઈ રહ્યું છે જેમાં રૂપિયા ૫૦૦થી લઈ રૂપિયા ૮ થી ૧૦ હજારની ચણિયાચોળી વેચાઈ રહી છે. આવી ચણિયાચોળી દરેકને પોસાઈ શકે તેમ ન હોય અનેક યુવતીઓ ફેરિયાઓ અને જાહેરમાં વેચાણ કરનારાઓ પાસેથી ખરીદી રહી છે. ભાવનગર શહેરના વિક્ટોરિયાપાર્ક નજીક અને રૂપાણી પાસે અનેક લોકો દ્વારા થોડા દિવસથી વિવિધ પ્રકારની અને મનમોહક જુદા જુદા રંગોની ચણીયાચોળીઓનું વેચાણ થઈ રહ્યું છે. નવરાત્રિ નજીક આવી રહી છે આથી ગોરીઓ ગરબે ઘુમવા સજ્જ થઈ રહી છે.ગરબે ઘુમવા માટે ખાસ કરીને ચણીયાચોળીનું ચલણ વધ્યું છે.આથી ચણીયા ચોળીની ખરીદી કરી રહી છે. ચણીયાચોળીની વિવિધ વેરાયટીઓ વિક્રેતાઓ રાખી રહ્યા છે.જેમાં બાંધણી,અજરખ પ્રિન્ટ, બાટિક ,આહીર વર્ક, મશરૂ, મિરર વર્કવાળી વગેરેનો સમાવેશ થાય છે.જે રૂ.૫૦૦થી ૫૦૦૦ના ભાવે વેચાઈ રહી છે. હાલમાં ચણીયા ચોળીનું વેચાણ સારા પ્રમાણમાં થઈ રહયુ છે અને આગામી દિવસોમાં હજી વેચાણ વધવાની આશા વિક્રેતાઓએ દર્શાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech