કાલાવડના નવાગામે માતાજીના મંદિરમાંથી દાનપેટીની ઉઠાંતરી

  • February 10, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવિકોમાં રોષની લાગણી : આશરે ૨૫ હજારની રકમની ચોરી

કાલાવડ તાલુકાના નવાગામમાં આવેલ માતાજીના મંદિરમાં પ્રવેશેલા કોઇ અજાણ્યા શખ્સે તીક્ષણ હથીયાર વડે દાનપેટી ઉખેડીને આશરે ૨૫ હજારની રોકડની રકમ ભરેલ દાનપેટીની ચોરી કરી નાશી છુટયો હતો, આ અંગેની જાણ થતા ગ્રામ્ય પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે, મંદિરમાં ચોરી થયાનું બહાર આવતા ભાવિકોમાં કચવાટની લાગણી જન્મી હતી.
કાલાવડ તાલુકાના નવાગામે ખોડીયાર માતાજીના મંદિરમાં ગત તા. ૫ના સમય દરમ્યાન કોઇ અજાણ્યો શખ્સ અંદર આવ્યો હતો, નિજ મંદિરનો દરવાજો ખોલી અંદર પ્રવેશીને માતાજીની મુર્તી પાસે રાખાવામાં આવેલી દાનપેટીને કોઇ તીક્ષણ હથીયાર વડે ઉખેડી નાખી હતી.
દાનપેટીમાં આશરે ૨૫ હજારની રકમ હોવાનું જાણવા મળ્યું છે દરમ્યાન રોકડ ભરેલી દાનપેટી સહિતની ચોરી કરીને શખ્સ નાશી છુટયો હતો. આ અંગેની જાણ થતા નવાગામમાં રહેતા કેશવજીભાઇ ઉર્ફે ડાડા મનજીભાઇ અકબરી દ્વારા ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા ઇસમ સામે ફરીયાદ કરવામાં આવી હતી બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર તપાસ અર્થે દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો તથા ફરીયાદના આધારે તપાસ લંબાવવામાં આવી છે. મંદિરમાં ચોરી થયાનું સામે આવતા ભાવિકોમાં રોષની લાગણી જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application