ત્રિપુરામાં વરસાદ લોકો માટે આફત બની ગયો છે. સોમવારથી રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓમાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગુમ થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે મોડી રાત્રે દક્ષિણ ત્રિપુરા જિલ્લાના દેબીપુરમાં મોટા ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતાં એક મહિલા અને એક બાળક સહિત એક પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.
મંગળવારે સવારે ગ્રામજનોએ એક જ પરિવારના ત્રણેય મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ ત્રિશંકર ચકમા (ઉ.વ.50), તેમની પત્ની રજની ચકમા (ઉ.વ.41) અને તેમની પુત્રી મીતા ચકમા (ઉ.વ.12) તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ખોવાઈ જિલ્લાના તેલિયામુરામાં મંગળવારે અન્ય 14 વર્ષીય છોકરાનું મૃત્યુ થયું હતું, જ્યારે કાર્બુક વિસ્તારમાં ભૂસ્ખલનમાં મૌઈ રેઆંગ (ઉ.વ.52)નું મૃત્યુ થયું હતું અને અન્ય એક ગ્રામીણ ગુમ થઈ ગયો હતો. અધિકારીએ કહ્યું કે, સોમવારથી સતત વરસાદને કારણે ત્રિપુરામાં ઘણી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયું છે. દક્ષિણ ત્રિપુરા અને ગોમતી જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
છ હજાર લોકોએ રાહત શિબિરોમાં લીધો હતો આશરો
ચાર નદીઓ હાવડા, ધલાઈ, મુહુરી અને ખોવાઈ મંગળવારે સાંજે જોખમના સ્તરથી ઉપર વહી રહી હતી. પાંડેએ જણાવ્યું હતું કે, સીએમ માણિક સાહા દિલ્હીથી નિયમિતપણે પૂરની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને તેઓ રાષ્ટ્રીય રાજધાનીથી પરત ફર્યા પછી પૂરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે. તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્રે રાજ્યના ચાર જિલ્લા, પશ્ચિમ ત્રિપુરા, ગોમતી, દક્ષિણ ત્રિપુરા અને ખોવાઈમાં 5,607 અસરગ્રસ્ત પરિવારો સાથે 183 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.
IMDએ આ વિસ્તારો માટે રેડ એલર્ટ કર્યું જાહેર
અધિકારીએ જણાવ્યું હતું કે, ભૂસ્ખલન ઉપરાંત, વૃક્ષો પડવા અને ધરાશાયી થવાને કારણે ઘણી જગ્યાએ માર્ગ અવરોધ પણ જોવા મળ્યો હતો. તે જ સમયે, ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, ચોમાસાને કારણે, ત્રિપુરાના તમામ જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાય IMDએ દક્ષિણ ત્રિપુરા જિલ્લા માટે 'રેડ એલર્ટ' અને બાકીના રાજ્ય માટે 'ઓરેન્જ એલર્ટ' જારી કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech