કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની થઈ ઉજવણી

  • August 24, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 
કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવાયો હતો. આચાર્ય  રાકેશ કાંતિવાલની અધ્યક્ષતામાં કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં બાળકો દ્વારા વક્તવ્ય અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 
બાળકોએ અવકાશ અને ચંદ્રયાનના મોડેલો, ચિત્રો બનાવીને સ્પેસ ડેની ઉજવણી કરી વધુ રસપ્રદ બનાવ્યું હતું. આ દરમિયાન બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શકાય તે માટે શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિજ્ઞાન અને ગણિત વિભાગના તમામ સભ્યો, શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિજ્ઞાન શિક્ષક અનીલકુમાર આર્યએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application