જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં તા.22 જૂનના રોજ નેશનલ લોક અદાલત યોજાશે...

  • May 28, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં તા.22 જૂનના રોજ નેશનલ લોક અદાલત યોજાશે...


ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરની અખબારી યાદીમાં જણાવ્યાં મુજબ આગામી તા. ૨૨-૦૬-૨૦૨૪ નાં રોજ, જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં (૧) ફોજદારી સમાધાનપાત કેસ (૨) નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ કલમ ૧૩૮ મુજબના ચેકનાં કેસ (૩) બેંક રીકવરી દાવા (૪) એમ.એ.સી.પી. નાં કેસ (૫) લેબર તકરારના કેસ (૬) લગ્ન વિષયક તકરારના કેસ (૭) વીજળી અને પાણી બિલ (સમાધાન પાવ ન હોય તે સિવાયના) કેસ (૮) કૌટુંબિક તકરારના કેસ, (૯) જમીન સંપાદનના કેસ (૧૦) સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ (૧૧) રેવન્યુ કેસ ( ડીસ્ટીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ (૧૨) અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વિગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું તા. ૨૨-૦૬-૨૦૨૪ નાં રોજ નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરેલ છે. 


આથી જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને જણાવવાનું કે, તેઓના ઉપરોકત જણાવેલ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વિ. વકીલશ્રી મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરવો. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. 


વધુમાં લોક અદાલતના માઘ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં. ૨૫૫૦૧૦૬ ઉપર કરવો તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા વિનંતી છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application