કથાકાર જીગ્નેશ દાદાએ માનસિક દિવ્યાંગ બાળકોની લીધી મુલાકાત

  • February 10, 2024 05:09 PM 

પ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદાએ ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલી અંકુર શાળાની ખાસ મુલાકાત લીધી હતી. અંકુર શાળા ખાતે માનસિક રીતે દિવ્યાંગ બાળકો એટલે કે જેને લોકો મંદબુદ્ધિવાળા બાળકો કહે છે. તેવા બાળકો અભ્યાસ કરે છે. જે બાળકને પોતાની જાતે કંઈ જ કરવાની ખબર પડતી નથી તેવા બાળકોની સંભાળ રાખી અને અંકુર શાળા ખાતે માનસિક રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારે આજરોજ ભાવનગરની સરદારનગર ખાતે આવેલી અંકુર શાળાની મુલાકાતે પ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદા ખાસ આવી પહોંચ્યા હતા. ભાવનગર શહેરના ખાતે જીગ્નેશ દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથાના આયોજન દરમ્યાન પોતાનો સમય કાઢી અને અંકુર શાળા ખાતે ખાસ મુલાકાત લીધી હતી. પ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદાએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આ બાળકો નહી ભગવાનનું સ્વરૂપ છે. અને પોતે આ બાળકોના દર્શન કરી પોતાને ધન્ય મને છે. અને આજે તેની મુલાકાત લઇ ખબર પડી કે સૌરાષ્ટ્ર અને એમાં પણ ભાવનગરમાં અંકુર શાળા જેવી સંસ્થા આવેલી છે. જ્યાં આવા બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. જે પોતાની અવસ્થા લઇને આવ્યા છે. આવા બાળકો આવા ભગવાનને મળી ખુબ આનંદ થયો હતો. કથાકાર જીગ્નેશ દાદા ની મુલાકાત દરમિયાન મોટીવેશન સ્પીકર નેહલબેન ગઢવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application