નર્મદા- વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું કર્યું ઉદ્દઘાટન

  • January 29, 2024 11:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકતાનગર ખાતે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું હતું. આઇએચસીએલ દ્વારા આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટી ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા કૌશલ્ય વર્ધન કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. આ સેન્ટર થકી પ્રારંભિક તબક્કે પ્રતિવર્ષ 120 આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે. 


આ પ્રસંગે ડો. જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશવિદેશના પ્રવાસીઓની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે યુવાનોને હોસ્પિટાલિટીની તાલીમની આવશ્યક્તા ઉપર ભાર મૂક્યો હતો.આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ કૌશલ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન કરી મુલાકાત લઈ માહિતી મેળવી હતી. 


વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું.  મહત્વનું છે કે આદિવાસી યુવાનોને સ્કિલ સેન્ટર હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવશે. કૌશલ્ય વર્ધન કેન્દ્ર થકી પ્રતિવર્ષ 120 આદિવાસી યુવાનો તાલીમબદ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, 12 સપ્તાહ માટે ક્લાસરૂમમાં અને 4 સપ્તાહ માટે ઓન ફિલ્ડ તાલીમ આપવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application