તરછોડાયેલા બળદ, બીમાર-અપંગ ગૌમાતાને અપાશે સારવાર
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં રસ્તે રઝળતી તેમજ નિરાધાર અંધ-અપંગ ગૌમાતા અને તરછોડાયેલા બળદ ઉપરાંત નાના વાછરડા-વાછરડી માટે તમામ પ્રકારની સેવાઓ આપતી કોઈ મોટી સંસ્થા ન હોય, ખંભાળિયા નજીકના વિસ્તારમાં ગૌમાતા - વાછરડાઓની તમામ સેવાઓ માટે 25 વીઘા જગ્યામાં નંદબાવા માતા યશોદા ગૌશાળા બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ખંભાળિયાના અગ્રણીઓ દ્વારા જયદાસ મહારાજની આગેવાની હેઠળ અહીં રખડતી નિરાધાર ગૌમાતાઓને સહાયરૂપ થવાના ઉમદા આશયથી શહેર નજીકના એક વિસ્તારમાં 25 વીઘા જેટલી જમીન મેળવી અને ત્યાં વિશાળ ગૌશાળા બનાવી, અહીં નિરાધાર ગૌવંશને આશરો આપવામાં આવશે. આ આયોજન માટે જયદાસ મહારાજ સાથે સેવાભાવી કારૂભાઈ ઘેડિયા, નરશીભાઈ મોવાણ વાળા, કૌશિકભાઈ ચંદારાણા, પ્રવીણભાઈ વાઘેલા, એભાભાઈ એન. કરમુર (આદર્શ ગ્રુપ), જયંતીલાલ સુંદરજીભાઈ રાયચુરા, પ્રવીણભાઈ જી. મોદી (લાંબા વાળા), અશ્વિનભાઈ એ. વ્યાસ, ગિરીશભાઈ બથીયા, હિતેન્દ્રભાઈ આચાર્ય, દિપકભાઈ ઝારીયા, સુરેશભાઈ પોબારુ આ સેવાયજ્ઞમાં જોડાયા છે.
શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલનથી આ નંદબાવા માતા યશોદા ગૌશાળાનું નિર્માણ થનાર છે. આ કાર્ય માટે ખંભાળિયા તથા દ્વારકા જિલ્લા ઉપરાંત વિદેશોમાં રહેતા અહીંના વતનીઓ કે તેઓ આ વિશાળ સેવાયજ્ઞમાં સહભાગી થવા ઇચ્છતા હોય તેઓએ જયદાસ મહારાજના મોબાઈલ નંબર 99257 05989 પર સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. ખંભાળિયા વિસ્તારમાં હાલ નિરાધાર રખડતા ગૌવંશના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ સંસ્થા દ્વારા વિશાળ ગૌશાળાનું નિર્માણ થશે ત્યારે આ પ્રશ્નથી લોકોને મુક્તિ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech