સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ ગોહિલ ના સંયુક્ત ઉપક્રમે રાજગોર શેરી આંગણવાડી ખાતે બાળકો દ્વારા વેશભૂષા સાથે કાનુડો,તેમજ રાધા કૃષ્ણ સાથે મટકી ફોડ તેમજ નંદ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
સિહોર શહેરી વિસ્તાર ના સ્લમ વિસ્તાર અને ડુંગરાળ માં આવેલી તેમજ ભાડા ના મકાન માં કાર્યરત રાજગોર શેરી આંગણવાડી .નં.૩ ખાતે સિહોર પોલીસ પરિવાર ના મનોહર સિંહ ગોહિલ તરફથી તેમની બે લકડવાયી દીકરીઓના અવતરણ વર્ષ ગાંઠ નિમિતે આંગણવાડી ખાતે બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષા સાથે કાનો, નટખટ કાનુડો,રાધા કૃષ્ણ,સહિત ની વેશભૂષા સાથે શ્રાવણ સુદ આઠમ ના આગોતરા આયોજન સાથે મટકી ફોડ.નંદઉત્સવ કાર્યક્રમ માં સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ એનજીઓ ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સિહોર પોલીસ પરિવાર ના અજઈં જનકસિંહ ઝાલા, સાયબર ક્રાઇમ ના વિજયભાઈ ભાટવાસીયા ક્રાઈમ વિભાગ ના જીજ્ઞેશ વાઢેર તેમજ એનજીઓ ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના મહિલા આગેવાન અને સામાજિક કાર્યકર સુમિતા બેન રાઠોડ, સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ના ઙકટ મેમ્બર હરીશભાઈ પવાર, સિહોર તાલુકા આંગણવાડી ના અધિકારી, આંગણવાડી નં.૩ ના કાજલબેન તેમજ આંગણવાડી સહયોગી તેમજ અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને નટખટ કાનુડા દ્વારા મટકી ફોડી અને ભવ્યતા થી ભવ્ય નંદ ઉત્સવ કાર્યક્રમ યોજાયો.તેમજ તમામ દીકરીઓ સહિત બાળકો ને ટઈંઙ ખુરશીઓ ભેટ પો.કો મનોહરર્સિંહ ગોહિલ દ્વારા આપી બાળકો માં આનંદ અને રાજીપો છવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech