નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ– ઇસાક મુઇવાહ(એનએસસીએન–આઈએમ)એ નાગા રાજકીય મુદ્દા પર મડાગાંઠને ઉકેલવા માટે ત્રીજા પક્ષના હસ્તક્ષેપની માંગ કરી છે. આ ઉપરાંત, નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના ઇસાક–મુઇવાહ જૂથે એક નિવેદન બહાર પાડીને જો નાગા રાષ્ટ્ર્રધ્વજ અને બંધારણને માન્યતા આપવામાં નહીં આવે તો ભારત સામે ફરી હિંસક સશક્ર પ્રતિકાર શ કરવાની ધમકી આપી છે.
૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા બાદ પ્રથમ વખત હિંસક સશક્ર સંઘર્ષનો ખતરો ઉભો થયો છે. જૂથે ૩ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ હસ્તાક્ષર કરાયેલ ફ્રેમવર્ક કરારને લઈને કેન્દ્ર પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, એનએસસીએન–આઈએમના જનરલ સેક્રેટરી ટી મુવાહે એક નિવેદન જારી કરીને દાવો કર્યેા હતો કે કેન્દ્ર જાણી જોઈને ઐતિહાસિક કરારની મુખ્ય જોગવાઈઓનું સન્માન કરવાનો ઇનકાર કરી રહ્યું છે, ખાસ કરીને નાગા રાષ્ટ્ર્રધ્વજ અને બંધારણને માન્યતા આપવી.તેમણે કહ્યું કે આ પ્રતિબદ્ધતાઓનું સન્માન ન કરવાથી શાંતિ પ્રક્રિયા ખોરવાઈ જશે. તેમણે જણાવ્યું હતું કે ફ્રેમવર્ક કરારનું પાલન કરવામાં કેન્દ્રની નિષ્ફળતા નવા હિંસક મુકાબલો તરફ દોરી શકે છે. તેમણે મડાગાંઠ ઉકેલવા માટે તૃતીય પક્ષના હસ્તક્ષેપની પણ હાકલ કરી હતી.
એનએસસીએનના જનરલ સેક્રેટરી અને મુખ્ય રાજકીય ઇન્ટરલોકયુટર ટી.
(અનુ. સાતમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech