નીટ કૌભાંડના વિરોધમાં કિસાનપરા ચોકમાં એનએસયુઆઇનું રસ્તા રોકો આંદોલન

  • June 14, 2024 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નીટની પરીક્ષામાં ગેરરીતી અને કોભાંડ થયું હોવાના આક્ષેપ સાથે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઇ) દ્રારા આજે કિસાનપરા ચોક ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. પોલીસે આ સંદર્ભે એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત ૧૦ની અટકાયત કરી છે.
એનએસયુઆઇના કાર્યકરો યારે વિરોધ કરવા પહોંચ્યા ત્યારે પોલીસે તેમને અટકાવવાના પ્રયાસો કર્યા હતા અને ભારે ધમાચકડી થવા પામી હતી. આખરે ટ્રાફિક કલીયર કરવા અને આંદોલન સમા કરવા માટે પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈના કાર્યકરોની અને આગેવાનોની અટકાયત કરી હતી.
એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા થોડા સમયમાં ૪૧ પરીક્ષાના પેપરો ફટયા છે. ૭૫ ટોપર્સને માર્ક માં ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. કોઈ એક જ કેન્દ્રના છ વિધાર્થી અને ટોપરમાં આવ્યા હોય તે શંકાસ્પદ છે. થોડા સમય અગાઉ ગોધરામાં ભાજપના એક આગેવાન દ્રારા દસ દસ લાખ પિયામાં પરીક્ષામાં પાસ કરી દેવાતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇ મારફત થાય તેવી અમારી માગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application