રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા ગત સાંજે ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ બે બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યા હતા.
વિશેષમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના અધિકારી–ઇજનેરી વર્તુળોએ આ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં વોર્ડ નં.૨માં એકજાન નગર વિસ્તારમાં માર્જિનમાં વાયોલેશન કરી ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેમજ વોર્ડ નં.૩માં અયોધ્યા ચોક પાસે ભોગવટા પરવાનગી મેળવ્યા બાદ વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોય તેવા કારણોસર બંને બિલ્ડિંગ સીલ કરાયા છે. સીલ કરાયેલા બિલ્ડીંગમાં (૧) ગંગાદાસ જોગરાણા (એકજાન નગર, મુકદલ મકાનની બાજુમાં, ડો. સૈયદ બુરહાની માર્ગ) તેમજ (૨) શારદા સાનિધ્ય–૨ (અયોધ્યા ચોક પાસે, ૧૫૦ ફટ રિંગ રોડ) સહિતનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદે બાંધકામો અને દબાણો સામેની મહાપાલિકા તંત્રની ઝુંબેશ અવિરત ચાલુ રહેશે તેવો નિર્દેશ અધિકારી–ઇજનેરી વર્તુળોએ આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech