સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે દીપ પ્રાગટય કરી સાંજે સાતથી થશે શુભારંભ; શહેરીજનોને ઉમટી પડવા જાહેર આમંત્રણ
રાજકોટ મહાનગરપાલિકા આવતીકાલે તા.૩૦ને બુધવારના રોજ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય આતશબાજી યોજાશે. આતશબાજી કાર્યક્રમનું ઉદઘાટન રાજકોટના સાંસદ પરસોતમભાઈ પાલાના હસ્તે દીપ પ્રાગટથી કરવામાં આવશે. શહેરીજનોને આતશબાજી નિહાળવા ઉમટી પડવા આહવાન કરતાં રાજકોટ મહાનગરપાલિકાના સર્વે પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર દ્રારા ભાવભયુ નિમંત્રણ પાઠવાયું છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઇ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્રારા વર્ષેાથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. જે પરંપરા મુજબ આવતીકાલે તા.૩૦ને બુધવારે સાંજે ૭ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ રાજકોટના સાંસદ પરસોતમભાઈ પાલાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે
આટલા ફટાકડા ફોડાશે
– કોમેન્ટ
– માઈન્સ
– એરીયલ શોટ
– ૨૪૦ મલ્ટીકલર એરીયલ શોટ
– ૧૨૦ મલ્ટી કલર શોટ
– ૧૦૦ શોટ– ક્રેકલીંગ
– ૧૦૦ શોટ– મ્યુઝીકલ
– ૧૦૦ શોટ– સાઇરન
– નાયગ્રા ફોલ્સ (૨૦૦ ફુટ)
– હેપી દિવાલી સ્કાય બોર્ડ
(૨.૫ ફુટ ૨૦ ફુટ)
– પિકોક
– ઝાડ થ્રી ઇન વન ખજૂરી
– ઝાડ સુર્યમુખી
– ઝાડ પામ (ટ્રી પામ )
– ઝાડ ગોલ્ડન સ્ટાર
(ટ્રી ગોલ્ડન સ્ટાર )
– ઝાડ ઇલેકટ્રીક ખજૂરી
– ઝાડ અશોકચક્ર (ટ્રી અશોક ચક્ર )
– તારા મંડળ મોટા (બીગ સ્પાર્કલ્સ) જનતા માટેની પ્રવેશ વ્યવસ્થા બે સ્થળેથી
જાહેર જનતાને (૧) બહત્પમાળી ભવન સામેના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી તેમજ (૨) વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના ગેઇટથી એન્ટ્રી આપવામાં આવશે.
પ્રેસ–મીડિયા–કોર્પેારેટરો માટેની એન્ટ્રી વ્યવસ્થા
જયારે કોર્પેારેટરો તથા પ્રેસ–મીડિયાના પ્રતિનિધિઓની એન્ટ્રી બહત્પમાળી ભવન સામેથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના પેવેલીયન તરફ જવાના રસ્તાથી એન્ટ્રી લેવાની રહેશે.
વીઆઇપી નાગરિકો માટેની એન્ટ્રી અલગ
આતશબાજી કાર્યક્રમમાં વીવીઆઇપી અને વીઆઇપી મહાનુભાવોની તથા આમંત્રિતો મહાનુભાવોની એન્ટ્રી રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી હોકી ગ્રાઉન્ડની ગેલેરી પાસે આવેલ જીમ તરફ જવાના રસ્તાથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં એન્ટ્રી લેવાની રહેશે.પાસની જરૂરિયાત નહીં
જાહેર જનતાએ આ કાર્યક્રમ નિહાળવા કોઇપણ પ્રકારના પાસની જરીયાત નથી. આતશબાજી નિહાળવા ઉમટી પડવા સર્વે શહેરીજનોને ભાવભયુ નિમંત્રણ પાઠવાયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech