રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી રામનવમી અને મહાવીર જયંતીના તહેવારના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, આગામી તા.૬-૪-૨૦૨૫ના રોજ રામનવમી નિમિતે તથા તા.૧૦-૪-૨૦૨૫ના રોજ મહાવીર જયંતી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની સબંધકર્તા તમામને ગંભીર નોંધ લેવા જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech