મુખ્તાર અંસારીનો મૃતદેહ કૌશામ્બી પહોંચ્યો, મોડી રાત સુધીમાં પહોચી શકે છે ગાઝીપુર

  • March 29, 2024 10:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાંદાથી માફિયા મુખ્તાર અંસારીના મૃતદેહને લઈને જતી એમ્બ્યુલન્સ શુક્રવારે સાંજે લગભગ 7.30 વાગ્યે કૌશામ્બીના મહેવા પહોંચી હતી. અહીંથી તે સરસવાન અને તેવન થઈને કોખરાજ જશે, જ્યાંથી તે હાંડિયા બાયપાસ થઈને હાંડિયા જશે. ત્યારબાદ તે ભદોહી થઈને આગળ વધશે.


એમ્બ્યુલન્સની સાથે પોલીસ અને વહીવટીતંત્રના ઘણા વાહનો પણ છે. માફિયા પરિવારના સભ્યો તેમજ સમર્થકોના ઘણા વાહનો પણ ત્યાં છે. આ સમયગાળા દરમિયાન કડક તકેદારી રાખવામાં આવી રહી છે. મુખ્ય બજારો તેમજ ચોકો પર પોલીસ તૈનાત કરવામાં આવી છે.


ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અન્સારીનું ગુરૂવારે મોડી રાત્રે અવસાન થયું હતું. પરિવારના સભ્યોએ આપેલી માહિતી મુજબ ગાઝીપુર જિલ્લાના કાલી બાગમાં પરિવારનું કબ્રસ્તાન છે. ત્યાં મુખ્તારને દફનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અન્સારીનું ગુરૂવારે મોડી રાત્રે મોત થયું હતું. રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુનિલ કૌશલે જણાવ્યું કે મુખ્તારનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તેણે જણાવ્યું કે તેને અહીં બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. જેલના સ્ટાફે તેને ઉલ્ટી થવાની જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્તાર ખીચડી ખાતો હતો. તેને લોહીની ઉલટી થવાની પણ ચર્ચા છે, પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application