ભાવનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી કમિશ્નર તથા ડેઝીગ્નેટેડ ઓફિસર, ફૂડ શાખા, આરોગ્ય અધિકારીની સૂચના હેઠળ શહેરના મીઠાઈ તથા ફરસાણનાં ખાધ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓની પેઢીઓની સઘન તપાસણી ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.
આ ઝુંબેશ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તાર જેવા કે, જમાદાર શેરી,એમ જી રોડ ,ખારગેટ તથા આસપાસના વિસ્તારો પર ખાદ્ય મીઠાઈ તથા ફરસાણ વગેરે ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓની પેઢીઓ પર સ્થળ તપાસ કરી, તપાસણી દરમ્યાન શંકાસ્પદ ખાદ્ય ચીજ,કલર તથા રો મટીરીયલ(કાચો માલસામાન) વગેરેનો સંગ્રહ અને વેચાણ કરતા અંદાજીત ૧૪ જેટલા આસામીઓ પાસેથી તપાસ અર્થે મીઠાઈ તથા ફરસાણના નમૂનાઓ લઈ તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે,જે તપાસમાં આદર્શ સ્વીટ,જય અંબે ફરસાણ હાઉસ, સન્તુ શિંગ, જબ્બારભાઈ શિંગવાળા,જય ગોપાલ ફરસાણ હાઉસ,સાઈનાથ સ્ટોર, રાજાણી ફરસાણ હાઉસ,હર ગોવિંદદાસ નથુભાઈ સુખડીયા, શશીભાઈ કાજુપુરીવાલા, જગદીશ ભેલ, લક્ષ્મી ભેલ, રાજ ફરસાણ, બોમ્બે સ્વીટ તથા વરૂણ નમકીન વગેરે મળીને કુલ ૧૪ પેઢીમાંથી મીઠાઈઓ ઓરંજ પાતરા, ટોપરાનાં લાડુ,બેસન લાડુ, મોહનથાળ, નાનખટાઈ, કેક, રોલ ક્રિમ,મલાઈ ચાપ, કાજુ રોટલા, ગુલાબજાંબુ,શીંગ પાક, જલેબી તેમ જ ફરસાણ જેમ કે, ફરસી પૂરી, ચાટ પૂરી ફરાળી ચેવડો, મગદાળ, ફૂલવડી,મરીવાલા ગાંઠિયા, ઝીણા ગાંઠિયા સહિતના નમુનાઓ લેવામાં આવ્યા હતા. હાલ તહેવારો તથા ચોમાસાની ઋતુ ચાલતી હોઈ, ખાધ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓને તાકીદ કરવામાં આવે છે કે ખુલ્લા ખાધ્ય પદાર્થનું અને વેચાણ ન કરવું તથા ખાધ્ય પદાર્થ ખુલ્લો ન રાખતા નેટ(જાળી) થી ઢાંકીને રાખવો.ખાદ્ય પદાર્થનું વેચાણ કરવાના સ્થળ પર સ્વછતા રાખવી.આ બાબતે કાળજી ન રાખનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુ. તંત્રના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech