કેશોદના ચર ગામે પરિવારના સામૂહિક વિષપાનમાં માતા અને પુત્રીનું મોત

  • October 07, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેશોદ તાલુકાના ચર ગામે શુક્રવારે રાત્રે એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી જેમાં માતા અને પુત્રીનું મોત થયું હતું અને પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સાત માસ પહેલા યુવાન ભાઈનું મોત થયા બાદ માનસિક આઘાતમાં રહેલા પરિવારના માતા સહિત ત્રણે એકી સાથે દવા પીધાના બનાવ બાદ  બે નામોત થવાથી પરિવાર અને નાના ગામમાં ગમગીની છવાઈ છે.
આ અંગેની કેશોદ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના ચર ગામે રહેતા અને મજૂરી કામ કરી ગુજરાત ચલાવતા બાબુભાઈ રાઠોડના પુત્ર દિવ્યેશ સાતેક માસ પહેલા આપઘાત કર્યો હતો્.ત્યારથી પરિવારજનો ગમગીન રહેતા હતા.દિવ્યેશના બહેન રવિનાબેન માનસિક તણાવમાં રહેતા હતા. શુક્રવારે રાત્રે બાબુભાઈ ઊંઘતા હતા ત્યારે તેના પત્ની મીનાબેન રાઠોડ, પુત્રી રવિનાબેન અને પુત્ર સંજયભાઈ રાઠોડે ઝેરી દવા પી લીધી હતી. ત્રણેય દ્વારા બૂમાબૂમ કરતા બાબુભાઈ ઊંઘમાંથી જાગી ગયા હતા્‌. ત્યારબાદ કેશોદ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.જેમાં પત્ની મીનાબેનનું સારવાર મળે તે પહેલા જ કેશોદ ખાતે મોત થયું હતું. પુત્રી રવિનાબેનને કેશોદ બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેનું શનિવારે બપોરે મોત થયું હતું્‌.જ્યારે સંજય રાઠોડ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
નાના એવા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ એકી સાથે દવા પીધા બાદ બેના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છ્ે. અને રાઠોડ પરિવારમાં ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application