માત્ર એક જ ખરીદ કેન્દ્રના કારણે વ્યાપક હાલાકી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા વિસ્તારમાં રહેતા ખેડૂતો દ્વારા મુખ્યત્વે પાક મગફળીનો બની રહે છે. ત્યારે આ વખતે મગફળીની નોંધપાત્ર આવક વચ્ચે સરકાર દ્વારા સમય મર્યાદામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ઓનલાઈન નોંધાયેલા ખેડૂતોને તેઓની મગફળી વેચવા માટે અહીંના એકમાત્ર ખરીદ કેન્દ્ર પર આધાર રાખવો પડે છે. જેમાં વિલંબ થતા ખેડૂતોને વ્યાપક મુશ્કેલીનો સામનો કરવા કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, ભાટીયા તેમજ જામનગરના લાલપુર જેવા નાના સ્થળોએ પણ ટેકાના ભાવે મગફળીના ખરીદ કેન્દ્રો શરૂ કરાયા છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સરકારની જાહેરાતના દસેક દિવસ સુધી મગફળી ખરીદ કેન્દ્ર શરૂ થયું ન હતું જે અંગે વ્યાપક ફરિયાદો તેમજ આપો ઉઠ્યો હતો. આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે ખંભાળિયા તાલુકામાં 10,500 થી વધુ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા ખંભાળિયામાં એક જ કેન્દ્ર મંજૂર થતા દરરોજ સરેરાશ 70 થી 80 અથવા વધુમાં વધુ 100 જેટલા ખેડૂતોની જ મગફળી લઈ શકાય છે. ત્યારે સમય મર્યાદામાં પૂર્ણ કરવાની થતી આ કાર્યવાહીમાં 10,500 જેટલા ખેડૂતો ક્યારે પૂરા થાય? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
આટલું જ નહીં, રાજ્યના અનેક શહેરોમાં પાંચ-સાત હજાર નોંધાયેલા રજીસ્ટ્રેશનમાં ટેકાના ભાવે બે ખરીદ કેન્દ્રો આપવામાં આવ્યા છે. ત્યારે ખંભાળિયા શહેર જિલ્લાનું મુખ્ય મથક હોય, અને અહીં રજીસ્ટ્રેશનની સંખ્યા પણ વધુ હોય છે. ત્યારે અહીંના એકમાત્ર કેન્દ્ર તેમજ બારદાન પણ ઓછા આવતા દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતોને તેઓની મગફળી વેચવા ઠંડીમાં કતારો લગાવીને ઉભવું પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech