આગામી ગુરૂવારથી નવરાત્રીનો પ્રારંભ થનાર છે. નવરાત્રીના આ તહેવાર દરમિયાન કોઈ અધટિત ઘટના ન બને અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારનો આનંદ માણી શકે તે માટે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં નવરાત્રીના તહેવાર દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે તેવું રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌર દ્વારા જણાવવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌર દ્વારા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં થનાર અવર્ચિીન રસોત્સવ અને પ્રાચીન ગરબીના આયોજન દરમિયાન કોઈ અનઇચ્છનીય ઘટના ન બને લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં 24 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં 24 જેટલી શી ટી દ્વારા ફિલ્ડમાં રહી પ્રાચીન ગરબી અને અવર્ચિીન રાસોત્સવના આયોજન સ્થળ પર સતત વોચમાં રહેશે. આ ઉપરાંત નવરાત્રિના આયોજન દરમિયાન રાજકોટ જિલ્લામાં 800થી વધુ પોલીસ જવાનો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે. પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.
નવરાત્રી દરમિયાન લોકોને સલામતી પૂરી પાડવાના હેતુ સાથે જયાં અવર્ચિીન રસોત્સવ આયોજન થનાર છે તેમજ પ્રાચીન ગરબી મંડળોમાં સીસીટીવી પર ખાસ વોચ રાખવામાં આવશે. જેથી કરીને લોકો સલામતી પૂર્ણ ઘરે પરત કરી શકે નવરાત્રિના આ તહેવાર દરમિયાન રાજકોટ જિલ્લાના લોકો તહેવારની શાંતિપૂર્ણ રીતે અને સલામતીપૂર્વક ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા તકેદારીના તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે. લોકો સુખ શાંતિથી તહેવારનો આનંદ લઇ શકે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પેટ્રોલીંગ સહિતની તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે તેવું રાજકોટ એસપી જયપાલસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech