સરદાર સરોવર નર્મદા ડેમની સિઝનમાં પ્રથમવાર સપાટી 135.16 મીટર પહોંચી ગઈ છે. આ સાથે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3,09,359 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે
વિગતવાર વાત કરીએ તો ઉપરવાસમાંથી થઈ રહેલ સતત પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સિઝનમાં પ્રથમવાર સપાટી 135.16 મીટર પહોંચી છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3,09,359 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે, નર્મદા ડેમમાં 3929 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
87 ટકા ભરાયો ડેમ
નર્મદા ડેમમાં 87 ટકા જળસંગ્રહ થયું છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 44,214 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 22,811 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ 1,57,025 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.
ડેમના 9 દરવાજા ખોલાયા હતા
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા હતા. જેને લઈને વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ PGVCL દ્રારા ઘંટી માલિકોને ડિપોઝિટ ભરવા નોટિસ ફટકારતા રોષ
September 19, 2024 10:32 AMજેતપુરમાં પ્રદુષણ ફેલાવતાં ઉધોગો સામે એસોશિએશનની લાલ આંખ
September 19, 2024 10:32 AMજેતપુરમાં પ્રદુષણ ફેલાવતાં ઉધોગો સામે એસોશિએશનની લાલ આંખ
September 19, 2024 10:22 AMવેરાવળ નજીક બોલેરોએ બાઇકને ઠોકર મારતા આધેડનું મોત
September 19, 2024 10:18 AMઆખરે છઠ્ઠું માનવભક્ષી વરુ દેખાયું ડ્રોન કેમેરામાં, શેરડીના ખેતરમાં હતું છુપાયેલું
September 19, 2024 09:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech