રાજકોટમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ ૧૫૦૦થી વધુ જવાનોનો બંદોબસ્ત, આ રહ્યો CMનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ

  • March 26, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સાંજે રાજકોટમાં કટારીયા ચોકડી ખાતે પ્રથમ કેબલ ઓવરબ્રિજ અને અંડર બ્રિજના ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો ઉદ્ઘાટન અને લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાનાર છે જેને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આગમનથી લઈ કાર્યક્રમસ્થળ સુધી શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ૧૫૦૦ થી વધુ જવાનો તેહનાત રહેશે.


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સાંજે 5:00 વાગ્યે કટારીયા ચોકડી ખાતે કેબલ ઓવરબ્રિજ અને અંડર બ્રિજના ભૂમિપૂજન મવડીના સ્પોર્ટસ સંકુલના ઉદ્ઘાટન સહિત મનપા અને રૂડાના 565.63 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ માટે રાજકોટના મહેમાન બનનાર હોય મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ મુખ્યમંત્રીના કાર્યક્રમના બંદોબસ્તની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. બપોરથી જ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત થઇ ગયા છે.


મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ 4 ડીસીપી, 7 એસીપીના માર્ગદર્શન હેઠળ 19 પીઆઇ, 66 પીએસઆઇ અને 5 મહિલા પીએસઆઇની રાહબરીમાં 585 પોલીસ જવાનો 118 મહિલા કોન્સ્ટેબલ, 85 હોમગાર્ડના જવાનો, 364 ટ્રાફિક બ્રિગેડ સહિત 1541 થી વધુ પોલીસ જવાનોનો કાફલો મુખ્યમંત્રીના બંદોબસ્તમાં તૈનાત રહેશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીનો જ્યાં કાર્યક્રમ યોજાનાર છે ત્યાં 12 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, 30 હેન્ડ મેટલ ડિટેક્ટર,18 બાયનોક્યુલર અને 59 હેન્ડસેટ સહિતની ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવશે. મુખ્યમંત્રીના કાર્યક્રમ શહેર પોલીસ દ્વારા બપોરથી જ બંદોબસ્ત સ્થળે જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.


મુખ્યમંત્રીનો રાજકોટ શહેરનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

  • ૪-૧૫ કલાકે રાજકોટમાં આગમન
  • ૪-૩૦ કલાકે હેમુ ગઢવી હોલમાં સનદ વિતરણ કાર્યક્રમ
  • ૫-૧૫ કલાકે હેમુ ગઢવી હોલથી રવાના
  • ૫-૩૦ કલાકે કટારીયા ચોકડી ખાતે મનપા-રૂડાનો ખાતમુહૂર્ત-લોકાર્પણ સમારોહ, સ્ટેજ પ્રોગ્રામ, જાહેર સભા
  • ૬-૧૫ કલાકે સ્ટેજ પ્રોગ્રામ પૂર્ણ
  • ૬-૩૦ કલાકે પેરેડાઈઝ હોલ ખાતે સનદ વિતરણ સમારોહમાં હાજરી
  • ૭-૧૫ કલાકે શ્રીનાથધામ હવેલી ખાતે વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશનના કાર્યક્રમમાં હાજરી
  • ૯-૦૦ કલાકે રાજકોટ શહેરથી હીરાસર એરપોર્ટ જવા રવાના
  • ૯-૪૫ હીરાસર એરપોર્ટથી અમદાવાદ જવા રવાના


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application