રાજકોટ અને રાજ્યમાં ચાંદિપુરાના શંકાસ્પદ કેસની વધતી સંખ્યાની સામે દર્દીઓનો સ્વસ્થ થવાનો આંક પણ વધી રહ્યો છે. ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષની પડધરીની ચાંદિપુરા પોઝિટિવ બાળકીને ગંભીર સ્થિતિમાંથી તબીબોએ સ્વસ્થ કરી રજા અપાતા પરિવાર અને બાળકી સ્મિત સાથે ઘરે ગયા હતા. ગઈકાલે ઝનાના હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગ અને સિવિલ હોસ્પિટલમાં મળી આઠ દર્દીઓ સારવારમાં હતા જયારે ગત રાત્રીના મોરબીના સાત મહિનાના બાળકને પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવતા સંખ્યા નવ થઇ છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી જિલ્લામાં ખેત મજૂરી કામ કરતા પરિવારના સાત મહિનાના બાળકને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હોવાથી સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર લીધી હતી એમ છતાં તકલીફ વધતા રાત્રીના ઝનાના હોસ્પિટલમાં લાવતા તબીબી તપાસ દરમિયાન બાળકની મેડિકલ હિસ્ટ્રી જોતા ચાંદિપુરાના સંભવિત લક્ષણ હોવાનું જણાતા દાખલ કરવામાં આવ્યું છે. અને હાલ સઘન સારવાર શરૂ છે. બાળકના સેમ્પલ લઇ આજે ગાંધીનગરની લેબ ખાતે મોકલવામાં આવનાર છે.
રાજ્યમાં ચાંદિપુરાની વાત કરીએ તો ગઈકાલે સાંજે છ વાગ્યા સુધી આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ રાજ્યમાં 137 શંકાસ્પદ કેસ છે, જેમાંથી 51 કેસ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે અને 29 દર્દીઓ હાલ સારવારમાં છે, જયારે 52 દર્દીઓ સ્વસ્થ બનતા રજા આપવામાં આવી છે. મૃત્યુનો આંક 56 થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech