મોરબી ગુજસીટોકના આરોપીઓની મિલકતો ટાંચમાં લેવાની કામગીરી શરૂ

  • March 29, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર આરીફ મીર, ઇમરાન ચાનીયા સહિતના વિરુદ્ધ ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે ગૃહ વિભાગના આદેશ અનુસાર મોરબી પોલીસ ટીમે કુખ્યાત ઈસમોની મિલકતો ટાંચમાં લેવાની કામગીરી શરુ કરી છે
ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલ આરીફ મીર, ઇમરાન ચાનિયા સહિતના ૧૫ ઈસમોની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી શરુ કરવામા રાજ્યના ગૃહ વિભાગના આદેશ મુજબ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે કાલિકા પ્લોટ વિસ્તારમાં ધામા નાખ્યા છે જ્યાં કુખ્યાત ઈસમોની મિલકત સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજસીટોકના ગુનામાં ૧૫ જેટલા આરોપીની ૨૫ થી વધુ મિલકતો ટાંચમાં લેવામાં આવશે જે કામગીરી શરુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી આગામી ૨-૩ દિવસ ચાલી સકે છે તેવા સંકેત પ્રાપ્ત થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application