સણોસરા,લોકભારતીની મુલાકાત લેતાં મોરારિબાપુ

  • September 03, 2024 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ ક્ષેમકુશળ મુલાકાત લઈ પૂછ્યું કે, લોકભારતીમાં બધું બરાબર છે ને? અહિયાં સંસ્થા પરિવાર સાથે મૌન સંવાદ કર્યો હતો.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ગયા વર્ષે યોજાયેલ રામકથા અગાઉ જાહેર કરેલ તે જ હિંચકા પર બેસી મોરારિબાપુએ પૂછ્યું હતું કે, લોકભારતીમાં બધું બરાબર છે ને.? અહીંયા મોરારિબાપુએ સંસ્થા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ સાથે બેસીને મૌનસંવાદ કર્યો હતો.
મોરારિબાપુ ઓચિંતા જ તેમનાં અન્ય મુલાકાત યાત્રા દરમિયાન ક્ષેમકુશળ મુલાકાત માટે લોકભારતી પહોંચ્યાં હતાં, જ્યાં નિયામક હસમુખભાઈ દેવમૂરારી, રામચંદ્રભાઈ પંચોળી, રાજેન્દ્રભાઈ ખિમાણી, ગીરીશભાઈ ગોધાણી સાથે કાંતિભાઈ ગોઠી, વિશાલભાઈ ભાદાણી, દિનુભાઈ ચુડાસમા સહિત કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આવકાર ભાવ વ્યક્ત કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application