ધનાભગત જગ્યા, ધોળામાં ધ્યાન કુટીરનું ખાતમુહૂર્ત કરતાં મોરારિબાપુ

  • September 03, 2024 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોહિલવાડની ઐતિહાસિક  ધનાભગત જગ્યા ધોળામાં ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત  મોરારિબાપુનાં હસ્તે થયું છે. મહંત  બાબુરામજી મહારાજ અને સેવકો દ્વારા ભાવ અભિવાદન થયું હતું.
શ્રાવણ માસનાં પવિત્ર દિવસમાં  ધનાભગત જગ્યા, ધોળામાં  મોરારિબાપુનાં હસ્તે ધ્યાનકુટીરનું ખાતમુહૂર્ત થયું છે. અહીંયા ભગવત સ્મરણ અનુષ્ઠાન માટે જગ્યા દ્વારા આ ધ્યાન કુટીરનું નિર્માણ થનાર છે. ગોહિલવાડની ઐતિહાસિક  ધનાભગત જગ્યા અને તેમનાં ભજનનો સાનંદ ઉલ્લેખ શ્રી મોરારિબાપુ રામકથા દરમિયાન કરતાં રહે છે. ખાત મુહુર્ત પ્રસંગે મહંત  બાબુરામજી મહારાજ અને જગ્યાનાં સેવકો દ્વારા  મોરારિબાપુનું ભાવ અભિવાદન થયું હતું. સંસ્થાનાં પ્રમુખ  ગણેશભાઈ ખૂંટ,  ભરત મહારાજ સહિત કાર્યકર્તાઓ દ્વારા સંકલન રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application