આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રભાવની અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે. રાજકીય પક્ષો આ ટેકનોલોજીને લઈને રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. ભાજપ ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણોને આઠ ભાષાઓમાં પ્રસારિત કરવાની તૈયારી કરી રહી છે. તેનું ડબિંગ એઆઈ દ્રારા કરવામાં આવશે. ભાજપે બંગાળી, કન્નડ, તમિલ, તેલુગુ, પંજાબી, ઉડિયા, મરાઠી અને મલયાલમ ભાષાઓમાં એકાઉન્ટ બનાવ્યા છે. એઆઈ દ્રારા મોદીના ભાષણોનો અન્ય ભાષાઓમાં અનુવાદ કોઈ નવી વાત નથી. ગયા વર્ષે ૧૮ ડિસેમ્બરે કાશીમાં તેમનું ભાષણ એઆઈ દ્રારા તમિલમાં અનુવાદિત થયું હતું. યારે તેઓ હિન્દીમાં બોલી રહ્યા હતા, ત્યારે એઆઈ દ્રારા તેમના ભાષણનો તમિલમાં અનુવાદ કરવામાં આવી રહ્યો હતો. આ નવા પ્રયોગ પર મોદીએ કહ્યું હતું કે, આશા છે કે આનાથી તમારા લોકો સુધી પહોંચવામાં મારા માટે સરળતા રહેશે. ત્યારબાદ નમો ઘાટ પર હાજર તમિલનાડુના ૧૪૦૦ લોકોએ એઆઈ દ્રારા તમિલમાં તેમનું ભાષણ સાંભળ્યું. ત્યારે આ ટેકનોલોજીનો લોકસભાની ચૂંટણીમાં મોટાપાયે ઉપયોગ થવાનો સંકેત મળ્યો હતો.
મોદીના પરિવારને લઈને લાલુની ટિપ્પણી બાદ રાજકારણ તેજ થઈ ગયું છે. યારે ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'મોદી કા પરિવાર' અભિયાન શ કયુ છે, ત્યારે કોંગ્રેસ આ મુદ્દે પ્રહારો કરી રહી છે. તેલંગાણાના સાંગારેડીમાં સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે યારે મોદી તમારા પરિવારને આપવામાં આવેલી ગેરંટી પૂરી કરવામાં વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસ અને તેના સહયોગીઓ મોદીના પરિવારને ગાળો આપવા માટે બહાર આવ્યા છે. તેનું કારણ એ છે કે હત્પં તેમના કૌભાંડોનો પર્દાફાશ કરી રહ્યો છું. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધીએ ટિટર પર લખ્યું, ખેડૂતો દેવાદાર છે, યુવાનો બેરોજગાર છે, મજૂરો લાચાર છે અને મોદીનો 'અસલ પરિવાર' દેશને લૂંટી રહ્યો છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદો અજય મિશ્રા ટેની અને બ્રજભૂષણ સિંહ મોદીના અસલ ફેમિલી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech