આસામમાં મંત્રીઓ અને સરકારી બાબુઓને સબસિડીવાળી વીજળી નહીં મળે

  • February 12, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યના મંત્રીઓ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને સબસિડીવાળી વીજળી આપવામાં નહી આવે તેવો નિર્ણય જાહેર કર્યો છે અને તેમણે વીજળી વિભાગને નિર્દેશ આપ્યો કે મંત્રીઓની કોલોની સહિત સરકારી ક્વાર્ટરમાં પ્રીપેડ મીટર લગાવવામાં આવે.જેથી કરીને વીજળી નો બિન જરૂરી વેડફત ન થાય અને મંત્રી ઓ પણ વીજળીની બચત કરવાની ટેવ રાખે.
તેમણે કહ્યું- મેં તત્કાલ વિભાગને નિર્દેશ આપ્યો કે મંત્રીઓની કોલોની સહિત દરેક સરકારી ક્વાર્ટરમાં પ્રીપેડ મીટર લગાવવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ પગલાનો ઉદ્દેશ્ય તે નક્કી કરવાનો છે કે કોઈપણ મંત્રી, અધિકારી કે સરકારી કર્મચારીને સબસિડી પર વીજળી ન મળે.અને કોને કેટલો વીજળી નો વપરાશ કર્યો તેનો હિસાબ રહે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે આસામ દેશમાં એક કરોડથી વધુ આયુષ્માન કાર્ડ આપ્નાર પ્રથમ રાજ્ય બની ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application