પ્રભાસના ત્રિવેણી સંગમે મહાકાલી મંદિરે ગિરનાર મહાશિવરાત્રીમાં આવેલા સંતોનો મિનિકુંભ

  • March 01, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ તીર્થના પ્રભાસ ખાતે જૂનાગઢ ગીરનાર મહાશિવરાત્રી પ્રસંગે આવેલા ભારતના વિવિધ સંતો–મહંતો અને અખાડાઓના વિશાળ ભંડારો યોજવામાં આવેલ છે.
વર્ષેાની પરંપરા મુજબ ગીરનાર શિવરાત્રી પર્વમાં આવેલ આ સંતો–મહંતો અને અખાડાઓ શિવરાત્રી પર્વ પુર્ણ થયા બાદ સૌરાષ્ટ્ર્રના વિવિધ તીર્થેા જેવા કે, તુલસીશ્યામ, સતાધાર, બિલખા વગેરે તીર્થાટન કરી છેલ્લ ો પડાવ સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે આવેલ મહાકાલી મંદિરે રખાય છે. જયાં તેઓ ભંડારામાં ઉપસ્થિત રહી ત્યાર બાદ સૌ પોતપોતાના સ્થાનકે રવાના થાય છે. શનિવારે રાતથી જ સંતોની મહાકાલી મંદિર ખાતે પધરામણી શરૂ થાય છે અને રવિવારે ભોજન ભંડારો યોજાય છે. આ ભોજન ભંડારામાં સાધુ–સંતોની પંગત પડે છે અને ભોજન પીરસાઈ ગયા બાદ ત્યાં ઉપસ્થિત રહેલ કોટવાળ નાગ જેવું વળાંકવાળુ ધાતુનું નાગફેણી નામનું દુંદુભી જેવું વાધ વગાડે પછી જ ભોજન ગ્રહણ કરાય છે. આ વાધ વગાડવાનો અધિકાર માત્ર કોટવાળને જ હોય છે. શ્રધ્ધાળુઓ, ભાવિકો તરફથી ભંડારાના તમામ સંતોને રોકડ ભેટ પૂજા આપવાની સદીઓ પુરાણી પરંપરા છે.
આ ભેટ પૂજા એટલે સાધુઓને ભોજન અને પછી તેમને અપાતી સન્માન સાથેની દક્ષિણા છે. સોમનાથમાં આવેલા શિવરાત્રી સંતો મહંતો અખાડાઓ પવિત્ર ત્રિવણી સ્નાન, સોમનાથ મહાદેવના અને મહાકાલી મંદિરના દર્શન કરે છે. સંતોની પધરામણી અને દર્શન કરવા આજુબાજુના વિસ્તારોમાંથી પણ શ્રધ્ધાળુઓ આવે છે અને દર્શન સાથે સેવા પણ કરે છે.
ભોજન પૂર્ણ થયા બાદ જૂનાગઢ શિવરાત્રી યાત્રાનું સોમનાથ ખાતે સમાપન થઈ સૌ પોતપોતાના ભારતમાં આવેલા સ્થાનકોએ પ્રસ્થાન કરે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application